________________
ભામાશાહની સ્વદેશભકિત.
ર૫ ભરેલું છે, તો પણ તમારા ઉપકારને બદલે વાળવાની ખાતર હું તમને “રાણા”ની પદવીથી વિભૂષિત કરૂં છું.” પ્રતાપસિંહે અલકાસુંદરીને સ્વીકાર કરવાની કબુલાત આપતાં કહ્યું.
“મહારાણા!” રાયધવલે કહ્યું “આપને આશ્રય આપીને મેં આપની જે આગતા સ્વાગતા કરી છે તે માટે આપને મનમાં કઈ પણ પ્રકારનો સંદેહ રાખવાની જરૂરીઆત નથી, કારણ કે જાતિભાઈએ જાતિભાઈને સહાય કરવી, એને હું મારી ફરજ સમજુ છું, તેથી મારાથી બનતી આપની જે સેવા મેં કરેલી છે, તેને બદલે આપવાની કશી પણ અગત્ય નથી, તેમ છતાં જ્યારે આપ મને રાણ” ની માનવંત ઉપાધિથી વિભૂષિત કરે છે, ત્યારે હું તેને સ્વીકાર કરું છું. અને હવે હું મારી પુત્રીના વાગ્યાનની ક્રિયાની જરૂરગ તૈયારી કરવાને જવાની રજા માગું છું, એગ્ય સમયે મારો કુમાર આપને તેડવાને માટે આવશે, માટે આપ તે વખતે બે-ત્રણ સરદાર સાથે મારા મહેલે પધારજો.”
પ્રતાપસિંહે ઈશારતથી હા કહી એટલે રાયધવલ ચાલે ગયે અને તે પછી તે તથા સરદાર ગોવિંદસિંહ પણ ભવિષ્યમાં થનારા યુદ્ધની તૈયારી કરવાનું અને આસપાસના પ્રદેશમાંથી સૈનિકે મેળવવાનો પ્રયાસ કરવાને પોતાના નિવાસસ્થાને ગયા, પ્રતાપસિંહે પિતાની પર્ણકુટીમાં જઈને દેવી પદ્માવતીને રાયધવલની માગણી કહી દર્શાવી એટલે તેણે પણ અલકાસુંદરીને સ્વીકાર કરવાનો આગ્રહ કર્યો. સંધ્યા સમયે ગ્ય મુહ પ્રતાપસિંહે અગ્નિદેવની સાક્ષીએ અલકાસુંદરી સાથે પાણિગ્રહણ કરીને તેને પોતાની અર્ધાગના બનાવી અને તે વખતથી અલકાસુંદરી પિતાના પ્રિયતમની પર્ણકુટીમાં જઈને તેણે જે પ્રમાણે પ્રતિજ્ઞા લીધી હતી, તે પ્રમાણે પોતે પણ પ્રતિજ્ઞા લઈને રહેવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org