________________
૨૨૪
ભાગ્યવિધાયક ભામાશાહ. મીલનથી તેને જણાયું; તેમ છતાં તેણે કહ્યું. “રાયધવલજી ! મારા દુઃખના અને ખરેખરી કટોકટીના સમયે તમે મને મારા પરિવાર હિત આશ્રય આપીને જે આગતાસ્વાગતા કરી છે, તેને એગ્ય બદલો મારાથી આવી હાલતમાં શી રીતે વાળી શકાશે, તેને હું રાત્રિ દિવસ વિચાર કરું છું. તેમાં વળી તમે મને તમારી પુત્રીનું પાણિ ગ્રહણ કરવાનું કહીને તમારા મારા ઉપરના ઉપકારમાં વૃદ્ધિ કરો છે, એ કેવી વાત ? તમે મને ખરા સમયે આશ્રય આપીને જે સહાય કરી છે, તેને લઈને હું તમારી માગને અસ્વીકાર કરવાનું ઉચિત માનતું નથી, પરંતુ મારી પ્રતિજ્ઞાને અંગે તમારી પુત્રી સાથે હાલ તુરત હું લગ્ન કરી શકીશ નહિ અને હું આશા રાખું છું કે તે માટે મને માફ કરશે.”
રાયધવલે કહ્યું. “મહારાણા! આપની પ્રતિજ્ઞાને હું જાણું છું અને તેથી આપ ધામધુમથી મારી પુત્રી સાથે લગ્ન કરી શકે નહિ એ સર્વથા સ્વાભાવિક છે, પરંતુ હું આપની પ્રતિજ્ઞાને કઈ પણ પ્રકારની હરક્ત આવે તેમ કરવાને માગતા નથી. મારી વિનંતિ માત્ર એટલી જ છે કે આપે મારી પુત્રીનું પાણિગ્રહણ કરીને તેને આપની અર્ધાગના બનાવી આપની સેવામાં જ રાખવી. આ ક્રિયા કઈ પણ પ્રકારની ધામધુમ વિના આજે સંધ્યા સમયે કરવાની મેં સર્વ ગોઠવણ પણ કરી રાખી છે. માટે આપ તેને સ્વીકાર કરીને મને વિશેષ ઉપકૃત બનાવશે, એવી મને સંપૂર્ણ આશા છે.”
બહુ સારૂ. જ્યારે તમે મારી પ્રતિજ્ઞાથી પરિચિત છે અને કોઈ પણ પ્રકારની ધામધુમ વિના તમે તમારી પુત્રીને મારી અર્ધા ગના માત્ર વાગ્દાનથી બનાવવાને ઈચ્છે છે, ત્યારે મને તેને સ્વી કાર કરવાની કશી પણ હરકત નથી અને તેથી આજ સંધ્યા સમયે તમારી ઈચ્છા મુજબ વર્તવાને હું તૈયાર છું. રાયધવલજી! તમે મને ખરા સમયે આશ્રય આપીને મારા ઉપર જે ઉપકાર કર્યો છે અને વિશેષમાં તમારી પુત્રી પણ મને આપવા તયાર થયા છે, તેને યોગ્ય બદલે મારે તમને શી રીતે આપવા, તેને મને હમેશાં વિચાર થયાં કરે છે. હાલની મારી વિચિત્ર અવસ્થામાં હું તમને કાંઈ કિમતી ભેટ કે અમુક સારી જાગીર આપી શકતા નથી, એ જે કે દીલગીરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org