________________
ભામાશાહની સ્વદેશભકિત.
૨૩
તેને માટે હું ચેગ્ય નથી; કારણકે મેં જે કાંઇ યત્કિંચિત્ સ્વાર્પણુ કર્યું છે, તે મારી ફરજના અંગે જ કરેલુ છે. ”
આ વાતચિત થઇ રહ્યા પછી મહારાણા પ્રતાપસિંહે કહ્યું. “ ભામાશાહ ! તમે હવે તમારૂ ધન કે જે મેવાડના ઉદ્ધાર માટે અર્પણ કરવાને તૈયાર થયા છે; તેને અત્રે લાવવાની વ્યવસ્થા કરવાને આપણા કેટલાક વિશ્વાસુ ભીલાને લઇને જાએ અને અમે આસપાસના પ્રદેશમાંથી સૈનિકેાને એકત્ર કરવાના કાર્યમાં જોડા ઇએ છીએ. ”
‘જેવી મહારાણાની આજ્ઞા.” એમ કહીને ભામાશાહ ત્યાંથી તેને નમન કરીને પેાતાને સોંપવામાં આવેલા કાર્યાં ઉપર જવાને રવાના થઇ ગયા અને તે પછી પ્રતાપસિંહું પણુયુદ્ધનાં સાધનેની તૈયારી કરવાને ત્યાંથી જવાની તૈયારી કરતા હતા, તેને ઠાકેાર રાયધવલે અટકાવીને નમ્રતાપૂર્વક કહ્યું. “ મહારાણા! મંત્રીશ્વર ભામાશાહની વિન ંતિને સ્વીકાર કરીને જેમ આપે તેમને કૃતાર્થ કર્યો છે, તેમ મને પણુ મારી વિનંતિના સ્વીકાર કરીને કુંતા કરશેા. ”
મહાણાએ આનંદપૂર્વક કહ્યુ “ઠાકેાર! તમારે જે કહેવુ હાય, તે ખુશીથી કહેા. હું તેના વક્ષ્ય સ્વીકાર કરીશ. ” રાયધવલે કહ્યું. t મહારાણા ! મારી વિનંતિ એ છે કે આપ જેવા સ્વદેશભકત, વીરશિરામણી, પુણ્ય લેાક, હૃઢપ્રતિજ્ઞ અને પુરૂષોત્તમ મહારાણાએ અત્રે આવીને મને જે માન આપ્યુ છે, તે માટે આપના હું જેટલેા ઉપકાર માનુ તેટલા થાડાજ છે, પરંતુ મને કહેવાને દીલગીરી થાય છે કે આપને જોઇએ તેવી અને તેટલી આગતાસ્વાગતા મારાથી થઇ નથી, એટલુંજ નહિ પણ આપને ચેાગ્ય એવી એક પણ વસ્તુ મારાથી આપની સન્મુખ નજર કરી શકાઇ નથી અને તેથી મારી પુત્રી અલકાસુંદરી કે જે રૂપ અને ગુણમાં માપને સર્વથા ચેાગ્ય છે, તેનું પાણીગ્રહણુ કરીને મને કૃતાર્થ કરશો. ”
પ્રતાપસિંહને ઠાકારની આ માગણીથી આશ્ચર્ય થયું નહિ; કારણ કે અલકાસુ દરીની પ્રેરણાથી જ તે આ પ્રમાણે તેનું પાણિગ્ર હુણુ કરવાને' માટે કહે છે, એમ તેના અલકાયુંદરી સાથે થયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org