________________
૨૨૨
ભાગ્યવિધાયક ભામાશાહ ચાલ્યા જવાના મારા વિચારને માંડી વાળું છું અને મેવાડના કથાણના કાર્યમાં પુનઃ જોડાવાની વધારે દઢાગ્રતુથી પ્રતિજ્ઞા કરૂં છું.”
ભામાશાહે પ્રતાપસિંહને નમન કરીને કહ્યું. “મહારાણ! મારી મિથ્યા પ્રશંસાની વાતને જવા દે; કારણ કે મેં જે કાંઈ કર્યું છે, તે મારી ફરજથી વિશેષ નથી કર્યું. અને તેથી મારી પ્રશંસા કરવાની કે મને ધન્યવાદ આપવાની જરૂરીઆત નથી. આપે કૃપા કરીને મારી વિનંતીનો સ્વીકાર કર્યો, એજ મારા મોટા ભાગ્યની વાત છે. મારું ધન મેવાડના ઉદ્ધારને માટે વપરાશે, એ વિચારથી મને ઘણો જ આનંદ થાય છે.”
ઠાકોર રાયધવલે ભામાશાહની પ્રશંસા કરતાં કહ્યું. “મંત્રીશ્વર ! તમારી આવી ઉદારતા અને દેશને ઉદ્ધાર કરવાની તમારી તીવ્ર લાગણું જોઈને મને ઘણે જ આનંદ થયો છે. જન્મ ભૂમિના કલ્યાણને માટે તમે આજે જે સ્વાર્પણ કર્યું છે, તે ઈતિહાસમાં સોનેરી અક્ષરેથી સર્વદા કેતરાઈ રહેશે અને તેથી મેવાડના ઉદ્ધારનું બધું માન તમને જ મળશે, એમ મહારાણાનું કહેવું છે, તે સર્વથા સત્ય છે. ધન્ય છે, ભામાશાહ ! તમારા જેવા પોતાના દેશ અને સ્વામીના સાચા સેવકને સહસવાર ધન્ય છે !”
અને હું પણ ઠાકોર રાયધવલજીના મતને મળતે થાઉં છું; કારણકે મંત્રીશ્વર ! તમે તમારું સઘળું ધન દેશના ઉદ્ધારને માટે અર્પણ કરીને સ્વદેશભક્તિનું જે ઉત્તમ કાર્ય કર્યું છે, તે માટે તમને જેટલો ધન્યવાદ આપીએ તેટલે થોડે જ છે અને તમારી જેટલી પ્રશંસા કરીએ, તે પણ થેડી જ છે. મારે નિર્વિવાદપણે કહેવું જોઈએ છે કે આજે તમે કરેલા સ્વાર્પણથી મેવાડીઓની ચાલી જતી આબરૂનું રક્ષણ થયું છે, એટલું જ નહિ, પણ તેનું નાશ પામતું ગૌરવ સચવાઈ રહ્યું છે.”ગેવિંદસિંહે પિતાના ખરા જીગરથી કહ્યું.
મંત્રીશ્વર ભામાશાહે આ ઉભય વીરેએ કરેલી પિતાની પ્રશંસા સાંભળીને કહ્યું. “ઠાકોર રાયધવલજી તથા સલેબરરાજ ! મારા પ્રત્યેની તમારી ઉભયની શુભ લાગણી જોઈને હું તમારે અત્યંત ઉપકાર માનું છું, પરંતુ તમે મારી જે પ્રશંસા કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org