________________
રર.
ભામાશાહની સ્વદેશભક્તિ એ આપના પૂર્વજોની સેવા કરીને તે ધન મેળવેલું છે અને તેથી વસ્તુતઃ તે આપનું જ છે, મેવાડના મહારાણા તરીકે આપ જ તેના સ્વામી છે. સેવકની સંભાળ લેવાની અને તેને દુઃખમાં સહાય કર. વાની જેમ સ્વામીને માથે ફરજ રહેલી છે, તેમ સ્વામીના દુઃખે દુ:ખી થવાની અને પિતાનું સર્વસ્વ અર્પણ કરીને પણ તેની યત્કિંચિત્ સેવા બજાવવાની ફરજ સેવકની ઉપર પણ રહેલી છે. મારી આ ફરજના અંગે હું મારી પાસેના ધનને આપને જ્યારે અર્પણ કરવા માગું છું, ત્યારે આપે તેને અસ્વીકાર શામાટે કર જોઈ એ? સ્વામી-સેવકના સંધને ઘડીભર બાજુએ રાખીએ તે પણ જે ભૂમિ મારી જન્મદાતા છે, જે ભૂમિમાં રહીને મેં મારું આટલું જીવન સુખપૂર્વક વ્યતિત કર્યું છે, જે ભૂમિના અન્નપા.
થી મારું શરીર પોષાયું છે, જે ભૂમિ મારા દેશબાંધવાની આશ્રયપ્રદાતા છે અને જે ભૂમિની સુશીતલ છાયામાં વસીને મેં યથેષ્ટ આનંદને અનુભવ્યું છે, તે પ્રિય જન્મભૂમિના ઉદ્ધારને માટે પણ મારે મારા સર્વસ્વનું સ્વાર્પણ કરવું, એ મારો ધર્મ છે અને એ ધર્મને બજાવવાને માટે મારી પાસે જે દેલત છે, તે હું આપને અર્પણ કરતા હોવાથી “તેને તમારે શા માટે આપી દેવી જોઈએ?' એ પ્રશ્ન પૂછવાની આપને અગત્ય નથી અને તેથી મારી માગણીને સ્વીકાર કરવાની હું આ પને આગ્રહપૂર્વક વિનંતિ કરું છું.
પ્રતાપસિંહે હર્ષપૂર્વક કહ્યું. મંત્રીશ્વર! તમારા વડિલોએ મારા વડિલોની સેવા કરીને જે ધન મેળવ્યું હોય, તે વાસ્તવિક રીતે જોતાં તમારું જ કહેવાય અને તેથી તેની ઉપર મારે જરા પણ અધિકાર ગણાય નહિ, પરંતુ તેમ છતાં તમે જ્યારે તેને મેવાડના ઉદ્ધારને માટે અર્પણ કરવાને તૈયાર થયા છે, ત્યારે હું તેને સ્વીકાર કરવાનું ઉચિત માનું છું અને તમારી આવી અલૌકિક ઉદારતા માટે તમને શતકોટી ધન્યવાદ આપું છું. ભામાશાહ! તમારા ધનથી મેવાડને જો ઉદ્ધાર થશે, તે તેને સઘળે યશ તમને જ મળશે અને રાજપુત જાતિનું ગૌરવ તમે જ સાચવી રાખ્યું છે, એમ ભવિષ્યના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે કેતરાઈ રહેશે. તમારી આ ઉદાર સહાયથી મારામાં હવે નવિન ચેતન્ય પ્રકટયું છે અને તેથી હું હવે દૂરના દેશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org