SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ભામાશાહની સ્વદેશભક્તિ ૨૧૯ ચાલ્યા જવાથી મેવાડને ઉદ્ધાર કરવાની તથા તેની સ્વતંત્રતા પુનઃ મેળવવાની આપણા માથે જે જવાબદારી રહેલી છે, તેને શું આપણે વિસરી જશું નહિ?” દૂરના પ્રદેશમાં ચાલ્યા જવાથી આપણે તેને જે કે સર્વથા વિસરી જશું નહિ, તે પણ વિસરી જવા જેવું કરીએ છીએ, એ સત્ય છે, પરંતુ અત્યારે આપણી જે દુર્બળ સ્થિતિ છે, તેમાં રહીને આપણે શું મેવાડને પુનરૂદ્ધાર કરી શકીએ તેમ છીએ કે આપણે એ જવાબદારીને વળગી રહીને આપણા આશ્રયદાતાને પણ જોખમમાં શામાટે ઉતરવા જોઈએ?” મહારાણાએ ભામાશાહના પ્રશ્નને ઉત્તર આપતાં પૂછયું. ભામાશાહ તેનાં આ પ્રસથી વિચારમાં પડી ગયું. તેણે કેટલેક સમય સુધી વિચાર કરીને કહ્યું. “મહારાણા! આપના વિચારો આપણી વર્તમાન સ્થિતિનો વિચાર કરતાં જે કે અસત્ય તો નથી; તે પણ આપણે ગમે તે ભોગે મેવાડને ઉદ્ધાર કરેજ જોઈએ, એ મારો દઢાગ્રહ છે.” . અને મારે પણ તેજ આગ્રહ છે.”ોવિંદસિંહે કહ્યું. તમારે ઉભયને આગ્રહ બરાબર છે, પરંતુ આપણે મેવાડનો ઉદ્ધાર શી રીતે કરે? આપણી પાસે ધન નથી, સૈનિકે નથી અને તે ઉપરાંત યુદ્ધનાં સાધને પશુ નથી, તેમ છતાં મેવાડના ઉદ્ધારની જવાબદારીને વળગી રહીને આપણે શું કરવાના છો ?” મહારાણાએ પૂછ્યું. ભામાશાહે કે ગોવિંદસિંહે તેને કોઈ પણ ઉત્તર આપે નહિ, એટલે તેણે પુન:કહ્યું. “ભામાશાહ અને ગોવિંદસિંહજી! આ સ્થળને ત્યાગ કરીને અન્યત્ર ચાલ્યા જવાથી આપણે જે કઠોર પ્રતિજ્ઞા લીધી છે, તેને ત્યજી દઈને આપણું કર્તવ્યથી ચલિત થવું, એ મારા કથનને ભાવાર્થ નથી. મારું કથન તે એટલું જ છે કે મેવાડના ઉદ્ધારની જ્યારે એક પણ આશા રહી નથી, ત્યારે આપણે અહીં પડ્યા રહીને અન્યને ભારરૂપ શા માટે થવું જોઈએ? . આપણી પાસે જે ધન હોત, જે સૈન્ય હેત અને જે યુદ્ધનાં સાધન હત, તે શું આપણે આપણી માતૃભૂમિને ત્યાગ કરીને અન્યત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy