________________
૨૦
ભાગ્યવિધાયક ભામાશાહ
ચાલ્યા જવાનું પસંદ કરત ખરા ? નહિજ; પરંતુ જ્યારે આપણી પાસે કાંઇ પણ સાધન નથી, ત્યારે નાહક આપણે અહીં શા માટે પડ્યા રહેવુ જોઇએ ?
""
ભામાશાહે તુરતજ કહ્યું. “મહારાણા ! આપણી પાસે કશુ પણ સાધન નથી અને તેથી અહીં શા માટે પડ્યા રહેવુ જોઇએ' એ માપની માન્યતા સત્ય છે; પર ંતુ આપણે જો ધન વગેરે સાધના મેળવી શકીએ, તેા પછી આપણને અહીં રહેવાને અને મેવાડના ઉદ્ધારને માટે પ્રયાસ કરવાની કાંઇ હરક્ત છે ખરી ? ”
tr
નહિ, તેા પછી કશી પણ હરકત નથી; પરંતુ આપણી પાસે ધન વગેરે સાધના નથી, તેનું કેમ ? પ્રતાપસિહ તેની વાતના સ્વીકાર કરતાં પૂછ્યું,
""
kr
,, મહારાણા ! ભામાશાહે કહ્યું. “ આપની વાત ઠીક છે; પરંતુ જો આપ ધન વગેરે સાધનના અભાવે નિરાશ થઇને મેવાડના ત્યાગ કરવા ઇચ્છા ધરાવતા હા, તે આપની એ ઇચ્છાને અંતરમાંજ સમાવી દે; કારણ કે મારી પાસે આપના રાજ્યની સેવા કરીને મારા પૂર્વજોએ મેળવેલું જે પુષ્કળ ધન છે, તેને મેવાડના ઉદ્ધારને માટે માપના ચારણેામાં નજર કરૂ છું. એ ધનથી પચીશ હજાર માણસના સૈન્યને બાર વર્ષ સુધી નભાવી શકાય તેમ છે; માટે મહારાણા ! મારી માં સામાન્ય પ્રાર્થનાને સ્વીકાર કરી દૂરના દેશમાં ચાલ્યા જવાના વિધારને આપ તિલાંજલી આપી દે. ”
''
ભામાશાહની આ અપૂર્વ સ્વદેશભક્તિ અને તેનુ અલૈકિક સ્વાર્પણુ જોઇને પ્રતાપસિહુ આશ્ચય દર્શાવતાં પૂછ્યું. “ મંત્રીશ્વર! તમારી ઉદારતાને માટે હું તમને ધન્યવાદ આપું છું, પરંતુ જે ધન તમારૂ છે. તેને મારે શામાટે લેવુ જોઇએ ? અને તમારે મને શામાટે આપી દેવુ જોઈએ ? ” ભમાશાહે કાંઇક દીલગીરી ભરેલા અને કાંઇક આવેશપૂર્ણ સ્વરથી કહ્યું. “ મહારાણા! આપ શું કહેા છે, તે હું સમજી શકતા નથી. જે ધન આપને હું અર્પણ કરવા માગું છું, તે અલખત મારા કબજામાં છે; પરંતુ તેથી તે મારૂ શી રીતે થયું ? મારા પૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org