SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ભામાશાહની સ્વદેશભક્તિ. “હદયેશ્વર ! આ તે શું, પણ આપને ગમે તે શરત મારે કબુલ છે. આપજ વિચાર કરો કે આપ જ્યારે સામાન્ય પર્ણકુટીમાં રહીને આપનું જીવન ગુજાતા હશે, ત્યારે શું હું રાજમહેલમાં રહીને એશઆરામ કરીશ? કદિ નહિ. હું તે આપની છાયાની જેમ આપના સુખમાં અને દુ:ખમાં ભાગ લેવાને આપની આજ્ઞાનુ વતિની બનીને આપની સાથે જ રહીશ અને આપના ચરણની સેવા કરીને મને પોતાને ભાગ્યશાલની ગણીને આનંદ માનીશ.” અલકાએ સરતનો સ્વીકાર કરતાં ઉત્તર આપે. પ્રતાપે હસીને કહ્યું બહુ સારું. હું હવે જાઉં છું.” એમ કહીને પ્રતાપપિતાની પ્રિયતમાને પ્રેમમયી દ્રષ્ટિથી જતો જેતે આગળ ચાલ્યા એટલે અલકાએ તેને સંબોધીને ઉભા રહેવાની ઇશારત કરતાં તે ઉભે રહ્યો. અલકા તેની પાસે ગઈ અને પિતાના હસ્તમાં ગુલાબના પુની તૈયાર કરેલી જે માળા હતી, તે તેના કંઠમાં પહેરાવી દીધી. પ્રતાપ તેનું ચાતુર્ય જોઈને હસી પડે. તે પછી તેણે એ માળાને પોતાના કંઠમાંથી લઈને અલકાના કંઠમાં તેને આરોપણ કરે અને ત્યારપછી તે ત્વરાથી ત્યાંથી ચાલ્યા ગયે અને ગુલાબનાં પુપની એ માળા અલકા સુંદરીના સુંદર કંઠમાં અને તેના અતિ ઉચ્ચ સ્તનપ્રદેશ ઉપર સ્થાન મેળવીને કૃતાર્થ થઈ. ધન્ય એ માળાને અને અહો ધન્ય એ અલકાસુંદરીને ! – @-- પ્રકરણ ૨૫ મું. ભામાશાહની સ્વદેશભક્તિ. મગલેના ત્રાસથી બચવાને માટે મહારાણા પ્રતાપસિંહે પિતાના પરિવાર સાથે આબુથી બાર ગાઉ પશ્ચિમમાં દૂર આવેલા સુધાના પહાડોમાં આવીને નિવાસ કર્યો હતો. આ પહાડમાં દેવડા રાજપૂતની વસતિ હતી અને તે સર્વમાં લેયાણનો ઠાકર રાયધવલ મુખ્ય રાજા હતા. ઠાકોર રાયધવલે મહારાણું પ્રતાપસિંહને આશ્રય આપ્યો હતો અને તેમને કોઈ પણ પ્રકારની ઉણપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy