________________
ભાગ્યવિધાયક ભામાશાહ. આપની ઈચ્છામાં આવે તેમ કરે; પરંતુ હું તે આજથી–અત્યાર થી આપની અર્ધાગના બની ચૂકી છું અને આપ મારા સ્વામી બન્યા છે.”
આ શબ્દો બોલતાં બોલતાં અલકાનાં નેત્રોમાંથી અમૃઓની ધારા નીકળીને પ્રતાપસિંહના ચરણેને પલાળવા લાગી. આ દશ્ય જોઈને પ્રતાપસિંહનું હૃદયે પીગળી ગયું અને તેથી તેણે તેને કમળ કર પકડીને તેને ઉઠાડતાં સનેહસૂચક સ્વરે કહ્યું. “અલકાસુંદરી ! તમે તમારી અડગ શ્રદ્ધાથી મારા નિશ્ચયને ચલિત કરી નાંખે છે, મારા અતિ કઠિન હદયને પીગળાવી નાંખ્યું છે. ઉઠે, અલકાસુંદરી! પ્યારી અલકા! તમારા સનેહને સ્વીકાર કરૂં છું અને બદલામાં મારે નેહ-મારું દિલ તમને અર્પણ કરું છું. માટે ઉઠો.”
અલકા ઉભી થઈ અને આનંદના અતિરેકથી પિતાના પ્રિયતેમની સામે જોઈ રહી. આ વખતે તેને લાવણ્યના ભંડાર સમાન મુખચંદ્ર ઉપર હાસ્યની અપૂર્વ છટા વિલસી રહી હતી અને તેથી તેના સંદર્યમાં ઓર વૃદ્ધિ થયેલી હતી.
પ્રતાપસિંહે તેને પૂછયું “યારો અલકાસુંદરી ! ઠાકર રાયધવલની આ વિષયમાં શી ઈચ્છા છે ? તે આપણો પ્રેમ સંબંધ કબુલ રાખશે ખરા ?”
| “તે સંબંધી આપને કશી પણ ચિંતા કરવાની નથી; કારણકે મારા માતપિતાને મારા ઉપર એટલો બધે પ્રેમભાવ છે કે તેઓ મારી ઈચ્છાને અવશ્ય કબુલ રાખશે, એ નિઃસંશય છે.” અલકા જવાબ આપે.
“બહુ સારું; પરંતુ અલકા ! તને એક વાત કહેવાની છે અને તે એ કે તારા પિતા માપણે પ્રેમસંબંધ કબુલ રાખે એટલે આપણુ લગ્ન થશે, પરંતુ કેઈ પણ પ્રકારની ધામધમ વિના કરવાના છે. એટલું જ નહિ, પણ લગ્ન પછી તારે મારી જેમ સર્વ ભેગવિલાસને ત્યાગ કરીને સાધુ-જીવન ગુજારવું પડશે. કહે, આ શરત તને કબુલ છે?” પ્રતાપે પુન: પૂછ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org