________________
૨૧૦
ભાગ્યવિધાયક ભામાશાહ. - અલકા વિચારમાં પડી ગઈ. તેણે પિતાના મનથી વિચાર કર્યો કે હવે ખરી હકીકત કહ્યા સિવાય અર્થ સરે તેમ નથી. તેણે પોતાનાં વિશાળ લોચનને પ્રતાપસિંહના મુખ ઉપર સ્થાપીને અતિ મીઠા અને કમળ સ્વરે કહ્યું. “મહારાણું ! આપના તરફ મારો પક્ષપાત હેવાનું કારણ માત્ર એટલું જ છે કે મેં મારાં તન-મન અને ધન આપને અર્પણ કરવાનો નિશ્ચય કર્યો છે અને તેથી આપની હું જેટલી પ્રશંસા કરૂં તેટલી ડીજ છે. આપને મેવાડના મહારાણું તે શું પરંતુ સમસ્ત ભારતવર્ષના રાજાધિરાજની ઉપમા આપું તો પણ તે મારા મનથી કાંઈજ નથી.” - પ્રતાપસિંહે અજાયબ થઈને પૂછ્યું. “તમે તમારા તન-મન અને ધન મને અર્પણ કરવાનો નિશ્ચય કર્યો છે, એટલે શું? એને અર્થ શું છે?”
એનો અર્થ એ જ છે કે હું આપને ચાહું છું અને તે આ જથી નહિ, પરંતુ જ્યારથી મેં આપની સ્વદેશ અને સ્વમાનનું રક્ષણ કરવાની તીવ્ર ઉત્કંઠાની વાત સાંભળી છે, ત્યારથી જ હું આ પને ચાહતી આવી છું. ” અલકાએ લજજાને સર્વથા ત્યાગ કરીને ઉત્તર આપે.
પ્રતાપ તેના સ્પષ્ટ ઉત્તરથી વિશેષ અજાયબ થઈ ગયો. તેણે ગંભીરતાથી કહ્યું. “અલકાસુંદરી ! તમે મારી સ્વદેશ અને સ્વમાનના રક્ષણ કરવાની તીવ્ર ઉત્કંઠાની વાત સાંભળી હશે, એ ઠીક છે, પરંતુ તેથી કરીને મને ચાહવામાં તમારું દિલ મને અર્પણ કરવામાં તમે ઉતાવળ કરી છે.”
એનું કારણ?” અલકાએ જીજ્ઞાસાથી પૂછ્યું.
એનું કારણ એ છે કે મેવાડને ઉદ્ધાર કરવાને માટે મેં સર્વ ભેગવિલાસને ત્યાગ કર્યો હોવાથી સંસારમાં રહ્યાં છતાં પણ હું એક સંન્યાસી છું અને તેથી અલકાસુંદરી ! સંસારના ભેગ વિલાસને તિલાંજલી આપીને વિરક્ત જીવન ગુજારત મારા જેવા એક સામાન્ય પુરૂષને ચાહવામાં તમે ઉતાવળ કરી છે, એ મારૂં કથન શું સત્ય નથી ?” પ્રતાપસિં છે કારણ દર્શાવતાં પૂછ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org