________________
સ્નેહ સ્વીકાર.
અને જે તમે ઠાકોર રાયધવલના પુત્રી છે, તે મારા સમ જવા પ્રમાણે તમારું નામ અલકાસુંદરી છે, કેમ ખરું ને? " પ્રતાપસિહે પુન: પૂછ્યું. આ છે; અલકાની લજજા હવે પલાયન કરી ગઈ હતી. તેણે પિતાના અવનત મુખને ઉંચું કરીને પ્રતાપસિંહના મુખ ઉપર પોતાના કમળ સમાન નેત્રો સ્થાપીને કહ્યું, “ આપની ધારણા સત્ય છે. હું ઠાકર રાયધવલની પુત્રી છું અને મારું નામ અલકાસુંદરી છે.”
“તમને આજસુધી નજરોનજર જોયા ન હતા અને તેથી અત્યાર આગમચ હું તમને ઓળખી શકે નહે; પરંતુ તમને જોતાંજ મેં જે કર્થના કરી હતી, તે તમારા કથનથી સત્ય નીવડી છે. અલકાસુંદરી! જેવું તમારું નામ છે, તેવું તમારું રૂપ પણ અલોકિક છે.” પ્રતાપસિંહે આનંદસહ કહ્યું. - અલકાસુંદરી પિતાનાં રૂપનાં વખાણ સાંભળીને શરમાઈ ગઈ. શરમથી તેના ગાલ ઉપર લાલ રંગની છટા વિલસી રહી.
પ્રતાપે તેને શરમાઈ જતી જોઈને કહ્યું “રાજકુમારી ! શા માટે શરમાઓ છો ? તમારા રૂપની મેં જે પ્રશંસા કરી છે, તે મિથ્યા નહિ, કિન્તુ કેવળ સત્ય છે અને તેથી તમારે શરમાવાનું કોઈ કારણ નથી, પરંતુ તમે કઈ દિવસ નહિ ને આજે સવારમાં વહેલા બાગમાં શા માટે આવ્યા છે ? જ્યારથી અમે અહીં આવ્યા ત્યારથી આ બાગમાં હું હમેશાં દિલને આરામ આપવાને માટે સ વારમાં આવું છું, પરંતુ આજ પર્યત તમને મેં જોયા નથી અને તેથી જ હું તમને એ સ્વાલ કરૂં છું.”
મહારાણાના પ્રશ્નનો શે ઉત્તર આપ તેની અલકાને સમજ પડી નહિ અને તેથી તે નિરૂત્તર રહી. તેને નિરૂતર રહેલી : જોઈને પ્રતાપસિંહે પુન: સવાલ કર્યો. “કેમ ઉત્તર આપતા નથી, અલકાસુંદરી ! શું તમે શરમાઓ છો?”
અલકાએ વિચાર્યું કે હવે ઉત્તર આપ્યા સિવાય ચાલે તેમ નથી અને તેથી તેણે કહ્યું. “મેવાડના પુણ્યશ્લેક મહારાણુના દર્શન કરવાની ઈચ્છા હૃદયમાં કેટલા દિવસોથી હતી અને તેથી એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org