________________
ભાગ્યવિધાયક ભામાશાહ,
- નિત્યના નિયમ પ્રમાણે પ્રતાપસિંહ પ્રાત:કાલમાં વહેલા ઉડીને વિકસિત બનેલાં પુપોની તાજી હવાને ઉપભેગ કરવાને બાગમાં આવ્યું હતું. તેણે આ વખતે સાદા અને વેત વસ્ત્રો પરિધાન કરેલાં હતાં. અગાધ ચિંતા અને અસહ્ય દુઃખથી તેનું ભવ્ય મુખ જો કે ઉદાસ જણાતું હતું અને તેની આંખો જો કે ઉંડી પેસી ગઈ હતી; તે પણ તેના શરીરના મજબુત બાંધામાં, તેના સુખની ભવ્યતામાં અને તેની આંખોના તેજમાં બહુ ન્યૂનતા થઈ નહતી. પ્રતાપસિંહ ફરતા ફરતે અને બાગની સુગંધી હવાને ઉપલેગ કરતે કરતે અલકાસુંદરી જે આમ્રવૃક્ષ નીચે નિશ્ચળ ભાવે ઉભી હતી, તેની નજીક આવી પહોંચે અને આવતાં જ ત્યાં અલકાને અવનત મુખે ઉભેલી જોઈને તે ત્યાં ઉભે થઈ રહ્યો.
જ્યારથી પ્રતાપે મેવાડને ઉદ્ધાર કરવાને અને સ્વદેશની સ્વતંત્રતા સાચવવાને માટે સર્વ ભોગ વિલાસને ત્યાગ કર્યો હતો, ત્યારથી તેનું હૃદય ઘણે ભાગે શુષ્ક થઈ ગયું હતું અને તેમાંથી સ્નેહરૂપી અમૃત કેટલેક અંશે સુકાઈ ગયું હતું અને તેથી કેઈ પણ સુંદર સ્ત્રીને જોઈને તેના હૃદયમાં કશી પણ અસર થતી નહોતી, પરંતુ અત્યારે અલકાસુંદરીને જોઈને અને તેના અલૈકિક રૂપને અવ લેકીને તેને સ્વાભાવિક રીતે જ અજાયબી થઈ અને તેના હદયમાં ચમત્કારીક અસર પણ થઈ. તેણે અલકાને બરોબર ધ્યાનપૂર્વક જોઈ લીધી અને તે પછી તેને તેની સાથે વાર્તાલાપ કરવાની જીજ્ઞાસા થઈ. તેણે તુરતજ મીઠા અને મધુર અવાજે પૂછયું. “તમે કેણ, છે અને અહીં શામાટે ઉભા છો ?'
અલકાએ કાંઈ પણ ઉત્તર નહિ આપતાં મન સેવવાનું જ ઉચિત વિચાર્યું.
પ્રતાપસિંહે કરીથી પૂછયું. “કેમ ઉત્તર આપતાં નથી? મેં સાંભળ્યું છે કે ઠાકર રાયધવલને એક અલોકિક દર્યવતી પુત્રી છે શું તે તમે તે નહિ ને !”
અલકાએ આ વખતે આડી નજરે પ્રતાપસિંહના મુખને એકવાર જોઈ લીધું, પરંતુ કોઈ જવાબ આપે નહીં..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org