________________
સ્નેહ સ્વીકાર
૨૦૫ “તે માતુશ્રીને આજે જ તમારા પ્રેમની વાત કહીને તથા તેમને બરાબર સમજાવીને કબુલાત મેળવી લઈશ, પરંતુ તમે મહારાણાના પ્રેમને શી રીતે જીતશો ? લલિતાએ પૂછયું.
હું પણ એજ વિચાર કરી રહી છું કે તેમના પ્રેમને મારે શી રીતે જીત ? તું કાંઈ ઉપાય બતાવીશ?” અલકાસુંદરીએ સામે સવાલ કર્યો
“એને ઉપાય તે એજ છે કે તમે કોઈ પણ રીતે તેમને એકાંતમાં મળે અને વખત જોઈને તમારા દિલની વાત તેમને કરે. આ સિવાય બીજો ઉપાય મારા સમજવામાં આવતું નથી.” લલિ તાએ ઉપાય દર્શાવ્યું. મેં
“પરંતુ મારાથી તેમને શી રીતે મળાય ? અને મળવાનું કદાચ બને, તે પણ દિલની વાત તેમને શી રીતે કહી શકાય?” અલકાએ પુનઃ પૂછયું.
મારા સમજવા પ્રમાણે તેમને બાગમાં આવવાને સમય થઈ ગયે છે અને તે આવ્યા પછી હું જોઉં છું કે તેમને મળતાં અને તેમની સાથે વાત કરતાં તમને કેવીક લજજા આવે છે? નાહક ટૅગ શા માટે કરી રહ્યા છે ? પિતાના પ્રેમપાત્રને મળવાને માટે તે આતુર થઈ રહ્યા છે અને વળી ભાવ શું કામ ખાઓ છે?” લલિતાએ સ્મિત હાસ્ય કરીને કહ્યું.
“ઠીક, લલિતા ! તું કહે તે ખરૂં. હું તેમને મળવાને માટે, જ અત્રે આવી છું, પછી છે કાંઈ?” અલકાએ આડંબરને ત્યાગ કરીને કહ્યું.
* “હવે કેવા ઠેકાણે આવ્યા?” એમ કહી લલિતાએ આસપાસ જોઈને સૂચના કરી. “જુઓ, અલકાબહેન! સામેથી તમારા મનના માલિક આવે છે, તેની સાથે બરોબર વાર્તાલાપ કરજે અને તેમને તમારા પ્રેમપાસમાં જરૂર સપડાવી લેજો. હું હવે જાઉં છું.” - લલિતા હસતી હસતી એ પ્રમાણે સૂચના કરીને ચાલી ગઈ અને અલકાસુંદરી સામેથી મહારાણા પ્રતાપસિંહને આવતાં જે સ્તબ્ધ થઈને ઉભી રહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org