________________
૨૪
ભાગ્યવિધાયક ભામાશાહ. “ઠીકપરંતુ પિતાજી તથા માતુશ્રી તમારી આ વાતને જાણે છે કે નહિ?” લલિતાએ પુનઃ પૂછ્યું.
નહિં, તેઓ મારી આ વાતને જરા પણ જાણતા નથી, કારણ કે મેં આ વાતને બહુજ ગુપ્ત રાખી છે. જે કોઈ જાણતું હેય તો તે માત્ર તું જ છે અને તે પણ તને મેં અત્યારે તેનાથી જાણતી કરી એટલેજ. પ્યારી સખી! મારા આ પ્રેમનું શું પરિણામ આવશે? એટલે કે મહારાણા તેને સ્વીકાર કરશે કે નહિ? તથા માતાપિતા તે કબુલ કરશે કે નહિ? એની મને બહુ ચિંતા થાય છે. શું તું મને આ ચિંતાસાગરમાંથી તરી પાર થવાને કોઈ ઉપાય નહિ બતાવે?” રાજકુમારી અલકાસુંદરીએ લલિતાના મનને ઉત્તર આપીને દીન વાણીથી પૂછ્યું.
વાહ, વાહ! અત્યાર સુધી તે વાતને મારાથી ગુપ્ત રાખી અને હવે ઉપાય બતાવવા માટે વિનંતિ કરે છે, એ કેવી વાત? હું તે કેઈએ તમને ઉપાય બતાવવાની નથી.લલિતાએ હસીને કહ્યું.
- લલિતા! પ્યારી સખી ! મશ્કરીની વાત જવા દે અને કૃપા કરીને મને કોઈ ઉપાય બતાવ કે જેથી કરીને મારા દુઃખી જીવને આરામ થાય.” અલકાએ પુન: દીનતાથી કહ્યું.
અલકાબહેન! ” લલિતાએ ગંભીરતાપૂર્વક કહ્યું “મશ્કરી કરવાને મારો સ્વભાવ જ છે એટલે તમે સુનમાં કાંઈ લાવશે નહિ. મને લાગે છે કે આ ચિંતામાંથી મુક્ત થધાના બે ઉપાય છે. એક તે એ છે કે તમારા માતપિતાના કાને તમારા પ્રેમની વાત પહે ચાડવી અને તેમની પાસેથી તેની કબુલાત લેવી અને બીજો ઉપાય એ છે કે મહારાણાના પ્રેમને જીતો. હવે પેલા ઉપાયને તે હું અજમાવી જોઈશ; પરંતુ બીજા ઉપાયને તમારે અજમાવવો પડશે કેમ ખરું કે નહિ?”
રાજકુમારી એ સાંભળીને ક્ષણ વાર નિરૂત્તર રહી. તે પછી તેણે કહ્યું. “બરાબર છે. જે માતાપિતાની પાસેથી તું મારી વાતની કબુલાત મેળવીશ તે હું બીજો ઉપાય અજમાવી જોઈશ, પછી બને તે ખરૂં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org