________________
હસ્વીકાર.
૨૦૧ અમે આલંકારિક ભાષામાં વર્ણન કરીએ, તે તેનાં મુખ અને નેત્રથી પરાજય પામીને ચંદ્ર અને હરિણ ઉભય એકત્ર થઈને પુન: વિજય મેળવવાને વિચાર કરી રહ્યા હતા; કારણ કે જે તેમ ન હોય તે ચંદ્ર કે જે ગગનવિહારી છે અને હરિણ કે જે ભૂવારી છે, તેને સહચાર શી રીતે સંભવી શકે? તે સુંદર બાળાના મુખ અને નેત્રનું વર્ણન કરતાં જ્યારે અમે આટલે અલંકાર વાપરીએ છીએ, ત્યારે તેનાં અવયવો જેવાં કે નાસિકા, ગાલ, ઓષ્ટ, સ્તન, ઉદર, નિતંબ, કર અને જંઘાદિ કેવાં સુંદર સરલ અને સુગઠિત હશે, તેને
ખ્યાલ વાંચકેએ સ્વયં કરી લે, એજ ઉચિત છે. ટુંકામાં કહીએ તે તે બાળા જે બાગમાં બેડી હતી, તે બાગ જેવી રીતે વિકસિત બનીને માનવહૃદયને મેહ ઉપજાવતું હતું, તેવી જ રીતે તેને વનરૂપી બાગ પણ જેનારનાં હૃદયને આકર્ષ તે હતે. અસ્તુ.
“ અલબત, તેમણે મારા પ્રેમને સ્વીકાર કરે જ જોઈએ; પરંતુ કદાચ ન કરે તો?” તે બાળાના મુખમાંથી આ શબ્દો પુનઃ જરા જોરથી નીકળી પડયા.
આજ સમયે એક તરૂણ રમણીએ આવીને કહ્યું. “કેમ નહિ કરે? જો તમારો પ્રેમ સાચે જ હશે, તે તેને સ્વીકાર અવશ્ય થ જ જોઈએ.”
તે બાળાએ પરિચિત વાર સાંભળી ઉંચું મુખ કરીને જોયું તે પિતાની સામે એક પચીસેક વર્ષની તરૂણી મંદ મંદ હસતી ઉભેલી હતી. તે બાળાએ જરા શરમાઈને વાતને ઉડાવી દેવાના હેતુથી પૂછયું. “લલિતા ! તું અહીં કયાંથી ?”
અહીં કયાંથી, એ પ્રશ્ન શા માટે પૂછે છે, રાજકુમારી?, પ્રથમ તે એજ ઉત્તર આપને કે ક્યા ભાગ્યશાળી વીર પુરૂષને તમારા સનેહને સ્વીકાર કરવાને તમે તમારા મનથી આગ્રહ કરી રહ્યા છે?” લલિતાએ સામે સવાલ કર્યો.
પરંતુ એ જાણીને તું શું કરીશ? તે જાણવાનું તને પ્રજન પણ શું છે?” રાજકુમારીએ પુન: પૂછયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org