________________
૨૦૦
ભાગ્યવિધાયક ભામાશાહ. ગતું નથી. ત્યારે શું સ્વીકાર કરશે ? અલબત, તેમણે મારા સ્નેહને સ્વીકાર કરે જ જોઈએ! પરંતુ કદાચ ન કરે તે?” એક લગભગ અઢાર-વીશ વર્ષની અવસ્થાએ પહોંચેલી સુંદરી આ પ્રમાણે પોતાના મનથી વિચાર કરતી હતી અને અવનવી કલ્પનાઓને ઉપજાવતી હતી.
પ્રાત:કાળને સમય હતે. સૂર્યનારાયણને ઉદય થઈ ગયો હતે. મીઠે, મધુર અને સુશીતલવાયુ વહન કરી રહ્યો હતો. બાગમાંહેના વિવિધ જાતિના પુષ્પ દિવાકરને માન આપવાને ખીલી ઉઠયાં હતાં. જુદા જુદા રસના ભેગી ભ્રમરો તેમની ઉપર ગંજારવ કરી રહ્યા હતા. વૃક્ષ ઉપર પંખીઓ આનંદથી કર્લોલ કરી રહ્યા હતાં અને શ્યામ રંગની પણ મીઠા કંઠની કોયલ ક્ષણે ક્ષણે પિતાને ટહુકાર કરીને આખા બાગને ગજાવી રહી હતી. બરોબર આ સમયે એક યુવાન સુંદરી આમ્રવૃક્ષના આશ્રયે બેસીને ગુલાબના સુમધુર પુષ્પોની માળા ગુંથી રહી હતી. આ નવજુવાન બાળાનું સંદર્ય અને તેનું લાવણ્ય વર્ણનાતીત હતું, એ અમે જે કે કબુલ કરીએ છીએ; તે પણ કેણ જાણે શાથી અમારી લેખિની તેનાં રૂપ લાવણ્યનું વર્ણન કરવાને લલચાય છે! વાંચકો કહેશે કે લેખકે જ્યાં જુઓ ત્યાં સુંદરીનાં સિદર્યનાં જ વખાણ કરવામાં લેખિનીને યથેષ્ટ ઉપગ કર્યો છે. ખરૂં છે; વાંચક મહાશયાના એ આક્ષેપને અમે સહન કરવાને તૈયાર છીએ, પરંતુ વિચાર કરો કે સૌદર્યના, માધુર્યના અને લાવણ્યના ગુણ કોણે ગાયા નથી ? ક્યા કવિએ મને નમોહન તરૂણના રૂપનું વર્ણન કર્યું નથી ? કયા લેખકે વર્ગની સુરસુંદરી સમાન નાજુક નારીના લાવણ્યની કથા લખી નથી ? કેઈ બતાવશે કે ક્યા મનુષ્ય સંદર્યના સાગર અને લાવણ્યના ભંડાર સમાન લલિત લલનાની પ્રશંસા કરી નથી અને જે તેમણે સ્ત્રીના માધુર્યના ગુણ ગાયા છે. સ્ત્રીનાં રૂપનું વર્ણન કર્યું છે, સ્ત્રીના લાવણ્યની કથા લખી છે અને સ્ત્રીના લાલિત્યની પ્રશંસા કરી છે, તે પછી અમે પણ તેના રૂપ-લાવણ્યની વારંવાર પ્રશંસા કરીએ છીએ, તે શું સ્વાભાવિક નથી ?
આમ્રવૃક્ષની છાયા નીચે જે સુંદરી બેઠી હતી, તેનાં રૂપનું જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org