________________
નેહ સ્વીકાર અકબરના નામથી આગ્રા નગરમાં પુસ્તકાલય બનાવીને તેમાં તેમને . રાખવાની ગોઠવણ કરી દીધી. તે પછી બાદશાહના ફરમાનથી શાહીવાજિંત્રો અને શાહી ફેંજના સરઘસ સાથે ભારી મહત્સવ પૂર્વક આચાર્ય શ્રી હીરવિજયસૂરિ પોતાના નિવાસસ્થાને ગયા. સમસ્ત ફતેહપુરમાં જેનીઓએ આજના દિવસનું ઉત્સવ તરીકે પરિપાલન કર્યું અને હજારો રૂપિયાનું દાન ગરીબ લોકોને આપવામાં આવ્યું*
પ્રકરણ ૨૪ મું.
સ્નેહ સ્વીકાર. સ્વપ્નમાં પણ અચળ દીઠું સ્નેહનું સંભારણું, પ્રેમનું પગલું થતાં ઉઘડે હદયનું બારણું; શુદ્ધ સાચા સ્નેહ પાસે તુચ્છ છે સુખ સ્વર્ગનું, ના ચહે પ્રેમી વિના સુખ મોક્ષ કે અપવર્ગનું. ”
–મેવાડની સંપ્યા. ઘણા દિવસથી જેની મૂર્તિને હૃદયમાં ધારણ કરી રાખી છે, તેનું અચાનક અહીં આગમન થયું, તે મારા ભાગ્યની પરિસીમા નહિ તે બીજું શું? પરંતુ સાંભળ્યું છે કે “જ્યાં સુધી મેવાડનો પુનરૂદ્ધાર ન થાય, ત્યાં સુધી ભેગવિલાસ અને પ્રેમચર્ચાને સ્વપ્નમાં પણ સંભારીશ નહિ.”એવી તેમણે સખ્ત પ્રતિજ્ઞા લીધેલી છે અને તેથી આવી વિરાગી અવસ્થામાં તે મારા સ્નેહને સ્વીકાર કરશે ખરા ? આ ઘટના જરા વિચારવા જેવી છે ખરી; પરંતુ શું તે મારા પ્રેમને તિરસ્કાર કરશે ? અને જે તે મારા પ્રેમને તિરસ્કાર કરે, તે પછી આ જીવન શું કામનું છે? જીવનને ઉદ્દેશ્ય પણ પછી શું રહે તેમ છે? ના, ના, તે મારા સનેહનો તિરસ્કાર કરે, એ તે મને સંભવિત લા
* ઈતિહાસના જીજ્ઞાસુઓએ આ સંબંધી વિશેષ હકીકત જાણવાને માટે કૃપારસોશ-ભાષાંતર જેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org