________________
ભાગ્યવિધાયક ભામાશાહ.
ત્યારબાદ સુરીશ્વર અને સમ્રાટ વચ્ચે ધાર્મિક ચર્ચા ચાલી, ઈશ્વર, જગત, સુગુરૂ અને સત્યધર્મ વિશે અનેક પ્રકારને વાર્તાલાપ થયા. અંતે અકબર બહુ જ ખુશી થયા અને તેના દિલમાંથી કેટલાક સંશયોને નાશ થયે. અત્યાર સુધી તે સૂરિ જના ઉત્તમ ચારિત્ર ઉપર મુગ્ધ થઈ રહ્યો હતો, પરંતુ હવે તે તે તેમની અપૂર્વ વિદ્વત્તા જોઈને બહુ જ પ્રસન્ન થઈ ગયે.
ક્ષણવાર રહી સૂરિજીએ પિતાના આવશ્યક કાર્યને સમય થઈ ગયે હોવાનું જણાવી પોતાના નિવાસસ્થાને જવાની ઈચ્છા દર્શાવી એટલે બાદશાહે તેમને જવાની રજા આપતાં કહ્યું. “મહા રાજ ! ભલે, આપની ઈચ્છા હોય તે પધારે. આપની સાથે ધામિક ચર્ચા કરવાથી મને ઘણું જાણવાનું મળે છે, માટે બીજા અનુકૂળ પ્રસંગે હું આપને યાદ કરીશ અથવા તે હું જ આવીને આપને મળીશ.” * સૂરિજી અને તેમના શિષ્ય જવાને માટે ઉભા થયા અને તેમની સાથે બાદશાહ અને સમાજને પણ ઉભા થઈ ગયા. બાદશાહે કહ્યું. “ સૂરીશ્વર ! જતાં પહેલાં મારી એક અરજને આપ સ્વીકાર કરે. આપ ત્યાગી અને સાધુ હોવાથી આપને હું ગમે તેટલી મૂલ્યવાન વસ્તુઓ ભેટ કરીશ, તે તેને આપ લેશે નહિ, માટે મારી પાસે કેટલાંક હિન્દુ અને જૈન સાહિત્યનાં પુસ્તકો છે, તેને આપ સ્વીકાર કરે. આ પુસ્તક પસુંદર'નામક જેનયતિ કે જેઓ ઉત્તેહપુરમાં જ રહેતા હતા અને જેઓની સાથે મારે ખાસ પરિચય હતે, તેઓનાં છે. પસુંદર યતિના સ્વર્ગગમન પછી એ સર્વ પુસ્તકે મારા ખાનગી પુસ્તકાલયમાં મેં સંગ્રહી રાખેલાં છે, તે એવા હેતુથી કે જ્યારે કે વિદ્વાન પુરૂષને મને મેળાપ થશે, ત્યારે તેને જ તે પુસ્તકે અર્પણ કરીશ, આપની અપૂર્વ વિદ્વત્તા જોઈને હું મુગ્ધ થઈ ગયો છું; માટે આ પજ આ સર્વ પુસ્તકે સ્વીકાર કરી મને ઉપકૃત કરે.”
. સૂરિજીએ ઘણી આનાકાની કર્યા પછી સદરહુ પુસ્તકને સ્વીકાર કર્યો, પરંતુ તે સર્વ પિતાની પાસે નહિ રાખતાં શહેનશાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org