________________
સૂરીશ્વર અને સમ્રાટ. આ સૂરિજીની મુસાફરીનો ઉપર પ્રમાણે હાલ સાંભળીને બાદશાહ અકબર તથા અન્ય સભાજને આશ્ચર્યમાં લીન થઈ ગયા અને સૂરિજીના ઉત્તમ ચારિત્ર વિશે તેમની અનેક પ્રકારે પ્રશ સા કરવા લાગ્યા, પછી શહેનશાહે પ્રસન્ન મુખમુદ્રાથી કહ્યું, “ આચાર્ય મહારાજ ! સુશીલા શ્રાવકા ચંપાના મુખેથી આપની પ્રશંસા
જ્યારથી મેં સાંભળી હતી, ત્યારથી આપને પ્રત્યે મને પૂજ્યભાવ ઉત્પન થયે હતે; પરંતુ આજે ખુદ મારા કર્મચારીના મુખથી આપના સર્વોત્કૃષ્ટ ચારિત્રનું વર્ણન સંભળીને મને પૂજ્યભાવની સાથે એટલો બધો આનંદ ઉત્પન થયે છે કે જેનું વર્ણન હું શબ્દ દ્વારા કરી શકવાને સમાપ નથી, આજ સુધી મેં પ્રત્યેક ધર્મના ઘણું આચાર્યોની મુલાકાત લીધી છે અને તેમના ચારિત્રની પણ ઘટતી તપાસ કરી છે, પરંતુ ચારિત્રના વિષયમાં તેમાંથી એક પણ આચાર્ય આપની તુલનામાં આવે તેમ નથી. આપનું ચારિત્ર અલૈકિક છે. આપના જેવા દેવી પુરૂષનું દર્શન કરીને હું ખરેખર કૃતાર્થ અને પાવન થયો છું.” . સૂરિજી પોતાની પ્રશંસા સાંભળીને નીચું જોઈ રહ્યા. ક્ષણવાર એ પ્રમાણે રહ્યા પછી તેમણે શહેનશાહની સામે જોઈને કહ્યું “આપને મારું ચારિત્ર અલૈકિક જણાય છે, એનું કારણ આપની નિર્મળ અને ગુણગ્રાહક બુદ્ધિને પ્રતાપ જ છે, બાકી હું તે માત્ર એક અતિ સામાન્ય મનુષ્ય જ છું અને તેથી આપ કહો છો તેટલી પ્રશંસાને હું લાયક નથી.”
શહેનશાહે સૂરિજીની નિખાલસ વૃત્તિ જોઈને વિશેષ આનંદને પામતા કહ્યું. “ગુરૂજી! હું આપની મિથ્યા પ્રશંસા કરતું નથી પરંતુ મને જે સત્ય જણાય છે, તે જ પ્રમાણે આપના વખાણ કરું છું. આપ ભલે આપને સામાન્ય મનુષ્ય માનતા હે; પરંતુ હું તો આપને દેવી પુરૂષ જ માનું છું, કારણ કે દેવી પુરૂષ વિના આવું નિખાલસ દિલ, આ નિરાભિમાની સ્વભાવ, આવી શાંત ચિત્તવૃત્તિ અને આવું ચારિત્ર એક સામાન્ય મનુષ્યમાં હેવાં સંભવતાં નથી. સૂરીશ્વર! ખરેખર આપ જીતના ફિરસ્તાજ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org