________________
૧૯૬
ભાગ્યવિધાયક ભામાશાહ. હાલ જાણવાને હું ઈ તેજાર છું; માટે તેને કહી સંભળાવ, “બાદશાહે આજ્ઞા કરી.
“જે હુકમ, જનાબ !” એમ કહી કમાલે શરૂઆત કરી; જ્યારે અમે આપ નામવરના ફરમાનથી અહીંથી રવાના થઈ અહમદાબાદ પહોંચ્યા, ત્યારે સૂરીશ્વર ગધારમાં હતા અને તેથી સુબેદાર સાહેબે અહમદાબાદના કેટલાક આગેવાન શ્રાવકને આપ નામવરના આમંત્રણની તેમને ખબર આપવા અને ફત્તેહપુર પધારવા સંબંધી વિનંતિ કરવાને મોકલ્યા હતા, સૂરીશ્વર ચાતુર્માસ પૂર્ણ થતાં ગંધારથી વિહાર કરીને અહમદાબાદ આવ્યા અને સુબેદાર સાહેબને મળ્યા. સુબેદાર સાહેબે તેમને અનેક કિંમતી વસ્તુઓ ભેટ કરવા માંડી અને ફત્તેહપુર પહોંચવાને માટે જે વાહને જોઈએ તે આપવાને કહ્યું, પરંતુ તેમણે તે સર્વને ઈન્કાર કર્યો, અમદાવાદમાં કેટલાક દિવસો રહી તેઓએ આ તરફ આવવાને વિ હાર કર્યો અને આજે લગભગ છ મહિને તેઓશ્રી અહીં આવી પહોંચ્યા છે, ઠેઠ ગંધારથી અહીં સુધી તેઓ પગે ચાલતા આવ્યા છે. પિતાની પાસે જરૂર જોગ જે સામાન હતું, તે સર્વ રસ્તામાં પિતેજ ઉઠાવીને ચાલતા હતા અને વચમાં કઈ નગર કે ગ્રામ આવતું, ત્યાં તેઓ વિશ્રાંતિ લેવાને થોભતા. અને ઘેર ઘેરથી ભિક્ષા માગી લાવીને પિતાને નિર્વાહ કરતા હતા. આખી મુસાફરી દર. મ્યાન તેઓ નીચે જમીન ઉપર પોતાની પાસેનું વસ્ત્ર પાથરીને નિદ્રા લેતા હતા અને રાત્રિ પડયા પછી ઈિપણ ચીજ (આહાર અથવા પાણી ) વાપરતા નહેતા, ચાહે તે કોઈ તેમની ભકિત કરે અને ચાહે તે કોઈ તેમની ઉપેક્ષા કરી નિંદા કરે; તે પણ તેઓ ઉભય તરફ સમાન બુદ્ધિથી જોતા હતા અને તેઓ કદિ પણ કોઈને વરદાન કે શ્રાપ આપતા નહોતા. તેમની આવી નિરાભિમાન વૃત્તિ અને સહનશીલતા જોઈને અમે તેમને જોઈએ તે પ્રકારની સગવડતા કરી આપવાને આગ્રહ કરતા, પરંતુ તેઓશ્રી અમારી વિનંતીને લેશ માત્ર પણ સ્વીકાર કરતા નહતા. હજુર! આવા મહાન ચારિત્રસંપન્ન અને અમારા સમર્થ યેગી મહાત્મા અમે આજ પર્યત જોયા નથી અને અમારા આ કથન ઉપરથી આપ નામવર તેમની ઉત્તમતા વિષે ખ્યાલ કરી શકશો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org