SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ્યવિધાયક ભામાશાહ. પિતાના બંધના ઉપરના ખરા જીગરના શબ્દો સાંભળી પ્રતાપસિંહને સંતોષ થયો. તેણે હર્ષાતિરેકથી ઉત્તર આપે. “વહાલા ભાઈ ! જો કે આજના યુદ્ધમાં મેવાડીઓને પરાજય થયો છે અને તેથી મારું મન અતિશય ખિન્ન થઈ ગયું હતું, પરંતુ તારા હૃદયમાં સ્વદેશપ્રેમ જાગૃત થયેલ જોઈ મને અતીવ આનંદ થાય છે અને હવે મને લાગે છે કે આપણે બંને ભાઈઓ હાથમાં હાથ મીલાવી, મેવાડની સ્વતંત્રતા સાચવવા માટે અને તેના પુનરુદ્ધાર માટે અવિશ્રાંત પરિશ્રમ કરી ભગવાન એકલિંગજીની કૃપાથી વિજયને વરવા ભાગ્યશાલી થઈશું.” - તુરતજ શકિતસિંહ અને પ્રતાપસિંહ ઘોડાઓ ઉપરથી નીચે ઉતરી ગયા અને અન્ય અન્યને સપ્રેમ ભેટી પડયા કેટલીક વારે પ્રતાપસિંહે પોતાના લઘુ ભાઈને પોતાના આલિંગનમાંથી છુટે કર્યો. પ્રતાપસિંહને હજુ દૂર જવાનું હોવાથી તેણે પોતાના ઘોડા તરફ નજર ફેરવી તે તે નિમકહલાલ અશ્વ ભૂમિ ઉપર પડેલો તેના જેવામાં આવ્યો. અને બધુઓએ તેની પાસે જઈને જોયું, તે યુદ્ધમાં અનેક જખમો થયેલા હોવાથી અને આખો દિવસ મુસાફરી કરવાથી તેના પ્રાણ પરલેક સિધાવી ગયા હતા. આ હદય વિદારક ઘટના જોઈને પ્રતાપસિંહના હૃદયમાં અત્યંત તીવ્ર શેક છવાઈ ગયે અને તેનાં નેત્રમાંથી અશ્રુને પ્રવાહ વહન થવા લાગે. વડિલ બંધુને રૂદન કરતાં જોઈને શક્તસિંહે આશ્વાસન આપતાં કહ્યું. “મેવાડેશ્વર ! આપના જેવા વીર પુરૂષને દુઃખથી નિરાશ થવાનું કાંઈ કારણ નથી. આપ મારી જોડે થે અને અત્રેથી નિર્વિને મેગ્ય સ્થળે પહોંચી જાઓ. હું આપને તુરતજ આવીને મળીશ.” એમ કહીને શક્તસિંહે પિતાને ઘોડે પ્રતાપસિંહને આપો. પ્રતાપસિંહે પોતાના ભાઈના ઘેડા ઉપર સ્વાર થઈને ધીમે ધીમે આગળ વધવાનું શરૂ કર્યું, એટલે શક્તસિંહ પણ તેને વિનયથી નમન કરી મેગલ છાવણ તરફ રવાના થયો. છેડે સમય મોગલ છાવણમાં રહ્યા પછી શક્તસિંહ પિતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy