________________
સૂરીશ્વર અને સમ્રાટ.
૧૯૩
લજ્જલે ધર્મ સંખ’ધી ચર્ચા કરતાં કરતાં ઇસલામ ધર્મ વિષે અને ખુદાતાલાની હુયાતી વિષે અનેક પ્રકારનાં પ્રશ્નો પૂછીને સૂરિજીનુ જ્ઞાન કેવું અને કેટલું છે, તે જાણી લીધું અને તેથી ખુશી થઇને તેણે તેમના બહુજ ઉપકાર માન્યા અબુલક્જલ પણ વિદ્વાન હતા અને તેથી સૂરિજીની અપૂર્વ વિદ્વત્તા જોઇને તેમની સાથે વિશેષ વાર્તાલાપ કરવાની તેની ઇચ્છા હતી. પરંતુ એટલામાં ખાદશાહ અકબર પોતાના ખાસ મિત્ર ફૈજી સાથે આવી પહોંચતાં તેને પેાતાની ઇચ્છાને દાબી રાખવી પડી. બાદશાહે આવીને તુરતજ શ્રી હીરવિજયસૂરિને પ્રણામ કરીને કુશલસમાચાર પૂછ્યા અને તેમણે તેના ચેાગ્ય ઉત્તર આપીને ધર્મલાભરૂપી આશીર્વાદ આપ્યા. ત્યારબાદ બાદશાહે સૂરિજીનેા હાથ પકડી તેને પેાતાના આસન પાસે લઇ ગયા અને તે ઉપર પોતાની સાથેજ બેસવાનું કહ્યું. પરંતુ સૂરિજીએ સેાના-રૂપા વગેરે ધાતુના આસન ઉપર બેસવું અથવા તા તેનેા સ્પર્શ કરવા, એ પેાતાના મુનિધર્મનો વિરૂદ્ધ હે!ઇને તે ઉપર બેસવાની ના પાડી, એટલે બાદશાહ પોતે નીચે ગાલીચા ઉપર ગાદી નખાવીને તે ઉપર બેઠા અને સૂરિજી તથા તેમના શિષ્યા કારો જમીન ઉપર નાનાં નાનાં ઉનનાં કપડાંનાં કકડા પાથરીને તે ઉપર બેઠા. અન્ય દરબારીએ પણ તે પછી પોતપેતાને ઉચિત જગ્યાએ માસપાસ બેસી ગયા.
4
તે પછી શહેનશાહે સ્મિત હાસ્યપૂર્વક કહ્યું. “ સૂરિજી ! આગ્રા નગરના મુખ્ય શાહુકાર થાનિસંહ શાહની પુત્રી ચંપાના મુખથી આપની પ્રશંસા સાભળી હું આપને મળવાને માટે અત્યાર આગમચ બહુજ આતુર થઈ રહ્યો હતા. પર ંતુ આજે અત્યારે આ પના પવિત્ર દર્શન થવાથી મારી એ આતુરતા શમી ગઇ છે અને તેથી મને બહુજ માનદ થયા છે. આપ ગુજરાતમાં હાવાની મને ખબર મળતાં મે આપને અત્રે આવવાને માટે મારા ખાસ ક ચારીઓને વિન ંતિ કરવાને માકલ્યા હતા અને એ ઉપરથી આપ મારા આમ ંત્રણને માન આપી અત્રે મળ્યા છે, તે માટે હું આપના ઉપકાર માનું છુ. ઠીક, પણુ આપ ગુજરાતના કયા ગામમાંથી
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org