________________
૧૯ર.
ભાગ્યવિધાયક ભામાશાહ. વગેરે બાદશાહની પાસે આવ્યા અને તેને સૂરિજીના આગમનની ખબર આપી. બાદશાહ એ સમાચાર સાંભળીને ઘણેજ ખુશી થયે અને સૂરિજીને બીજે દિવસે સવારમાં પોતાની પાસે આવવાની વિનંતિ કરવાને માટે કરમચંદને આજ્ઞા આપી. કરમચંદ સૂરિ. અને બાદશાહની ઈચ્છા મુજબ વિનંતિ કરીને તુરત જ પાછે આવ્યા અને એ ખબર બાદશાહને આપીને પિતાને આવાસે ગયે.
બીજે દિવસે સવારમાં હીરવિજયસૂરિ પિતાની પાસે આવે, તે પહેલાં ઈબાદતખાનામાં રાજ્યના સર્વ મુખ્ય મુખ્ય અધિકારીઓ અને દરબારીઓ તથા નગરના આગેવાન શ્રાવકોને હાજર રહેવાને હુકમ બાદશાહે કર્યો હતો અને તેથી વખત થતાં તેઓ સર્વ હાજર થઈ ગયા હતા અને ઈબાદતખાનામાં સૂરીશ્વર તથા સમ્રાટની રાહ જોતાં બેઠા હતા. આચાર્ય શ્રી હીરવિજયસૂરિ પોતાના શિષ્યમંડલ સાથે સવારના નવ વાગે શાહી દરબારમાં આવી પહોંચ્યા. એટલે હાજર રહેલા સર્વ સભાસદોએ તેમને આદરસત્કાર કરીને તેમને સર્વને યોગ્ય સ્થળે બેસવાની વિનંતિ કરી. સૂરિજી તથા તેમના શિષ્ય પિતાને ગ્ય એવી જગ્યાએ બેસી ગયા, તે પછી થાનસિંહ તથા કરમચંદ બાદશાહને સૂરિ જીના આગમનની ખબર આપવાને તેના ખાસ આવાસમાં ગયા. સૂરીશ્વરની સાથે આ વખતે પ્રધાન તેર શિષ્યો હતા અને તેઓ સર્વે શાસ્ત્રના પારગામી અને વિદ્વાન હતા. થાનસિંહ તથા કરમચંદ જ્યારે બાદશાહને સૂરિજીના આગમનની ખબર આપવાને ગયા ત્યારે બાદશાહ પોતે મહત્વયુકત રાજકીય વાતચીતમાં પિતાના સેના પતિએ સાથે રોકાયેલ હોવાથી તેણે થાનસિંહ તથા કરમચંદના મુખથી સૂરિજીના આગમનની વાત સાંભળીને દિવાન ટેડરમલ્લ તથા અબુલફજલને તેમનું આતિથ્ય કરવાને માટે તુરતજ મોકલ્યા. દિવાન ટેડરમલ્લ તથા શેખ અબુલફજલ બાદશાહની આજ્ઞા પ્રમાણે સૂરિજીની પાસે આવી પહોંચ્યા અને તેમને બાદશાહ સલામત ખાનગી મસલતમાં રોકાયેલા હાઇ તેમને આવતાં હૈડી વાર થશે, એમ કહીને તેમનાં કુશળ સમાચાર પૂછયા. સૂરીશ્વરે તેને મેગ્ય ઉત્તર આપ્યા પછી આખું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org