________________
સુરીશ્વર અને સમ્રાટ પ્રકરણ ૨૩ મું.
સૂરીશ્વર અને સમ્રાટ. આચાર્ય શ્રી હીરવિજયસૂરિ અહમદાબાદથી વિહાર કર્યા પછી પાટણ, સિદ્ધપુર, સરોતરા, સિરોહી, સાદડી, રાણપુર, આઉઆ અને મેડતા વગેરે પ્રસિદ્ધ નગરો અને ગ્રામમાં છેડે થોડો સમય રહી છેવટે સાંગાનેર સ્થાનમાં આવી પહોંચ્યા. સૂરિજી જે જે સ્થાનમાં થઇને વિહાર કરતા હતા, તે સર્વ સ્થાનના શ્રાવકે અને રાજાઓ તેમની પ્રવેશ મહત્સવ ઘણી જ ધામધૂમથી કરતા હતા અને તેમના ઉત્તમ ૫દેશનો લાભ લેતા હતા. પાટણમાં એક શ્રાવિકા માટે ઉત્સવ કરીને સૂરિજીના હાથે જીનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. સિદ્ધપુરમાંથી પંડિત શાંતિચં. દ્રને સૂરિજીએ પિતાની સાથે લીધા હતા, સરોતરાને ઠાકોર અર્જુનસિંહ કે જે ઘણે દુર્વ્યસની અને પાપી હતું, તેને સૂરિ. જીએ સદુપદેશ આપીને સારા માર્ગે ચડાવી દીધું હતું અને આઉઆના તાહા શેઠે સૂરિજીનો નગરપ્રવેશ બહુજ ઉત્સાહપૂર્વક કરાવીને ભારી મહોત્સવ કર્યો હતો. આ પ્રમાણે સ્થળે સ્થળે ઉપદેશ આપતાં, સમાન પામતાં અને પ્રસિદ્ધ તિર્થોની યાત્રા કરતાં સૂરીશ્વરે સાંગાનેર નગરમાં આવીને વિશ્રાંતિ લેવાને માટે સ્થિરતા કરી. શહેનશાહ અકબરને હીરવિજયસૂરિ અહીં સુધી આવી પહોંચ્યાની ખબર પડતાં તેણે થાનસિંહ, કરમચંદ, અમીપાલ અને માન વગેરે પ્રસિદ્ધ જેનીઓ અને અબુલફજલ તથા બીર બલ વગેરે અધિકારીઓને સૂરિજીને આદરમાન સાથે ફત્તેહપુરતેડી લાવવાને માટે આજ્ઞા આપી દીધી અને તેથી તેઓ અનેક હાથી, ઘોડા, રથ અને સૈન્ય લઈને સાંગાનેર આવ્યા. સાંગાનેર આવીને તેઓએ સૂરીશ્વરને ફત્તેહપુર આવવાની વિનંતિ કરી. એટલે તેઓશ્રી પિતાના પરિવાર સમેત ધીમે ધીમે વિહાર કરીને ફતેહપુર આવી પહોંચ્યા અને નગરની બહાર એક રાજપૂત સ દારના મહેલમાં નિવાસ કર્યો. ત્યાર પછી થાનસિહ, બીરબલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org