SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક ઐકય. બહુજ ખુશી થઈ ગયે; પરંતુ તેણે પિતાને ખુશાલીને દબાવી રાખીને રાજા બીરબલને પૂછયું. “અને તમે આ વિશે શું કહે છો? તમે કે ના મતને મળતા થાઓ છે ?" - રાજા બીરબલે તરતજ જવાબ આપે. “જહાંપનાહ! હું શાહ કરમચંદના મતને મળતો થાઉં છું; કારણ કે તેમણે ધાર્મિક એકય સંબંધમાં પિતાને જે અભિપ્રાય આપે છે, તે ઘણે જ વિચારણીય અને મહત્ત્વનું છે. જે દેશમાં જુદા જુદા ધર્મને માનનારી પ્રજા અને વિધમી રાજકર્તા હેય, તે દેશમાં ધાર્મિક એકયની બહુ જ જરૂર છે અને આ જરૂર જેમ પ્રજાને લાભકારી છે, તેમ રાજકર્તાને પણ લાભકારી છે. રાજકર્તા જે પ્રજાના ધર્મમાં હાથ નહિ નાખતાં સર્વને પોતપોતાના ધર્મ પ્રમાણે વર્તવાની સ્વતંત્રતા આપે છે, તે તેના રાજ્યને પાયો મજબુત થવાની સાથે પ્રજાજને તેને દીલે જાનથી ચાહે છે. ધાર્મિક ઐકયથી હિન્દુએ મુસલમાન અને મુસલમાને હિન્દુ થવાની જરૂર રહેતી નથી, પરંતુ હિન્દુ અને મુસલમાન ઉભય ધર્માનુયાયીઓએ અરસપરસ ધાર્મિક મતભેદ હોય તેને ભૂલી જઈને દેશના સામાન્ય લાભની ખાતર એકય સાધવું, એજ માત્ર ધાર્મિક ઐક્યને હેતુ છે અને આ હેતુને લયમાં રાખીને જ તૈહિદ-ઈ-ઈલાહી નામક પંથની આપે સ્થાપના કરી છે, એ અમે સારી રીતે જાણીએ છીએ.” રાજા બીરબલનું કથન સર્વીશે સત્ય છે અને તેથી બધાને મુસલમાન કરવા જોઈએ અથવા તે બધાએ હિન્દુ થઈ જવું જોઈએ, એ કાજી સાહેબને સિદ્ધાંત અસત્ય કરે છે.”ફિજીએ કહ્યું. ' મારા સિદ્ધાંતને તમે બધા ભલે અસત્ય ઠરાવવા માગે; પરંતુ મેં જે કહ્યું છે, તે બીલકુલ રાસ્ત છે. અને તેથી તમે તેને અસત્ય હરાવી શકશે નહિ, કારણ કે હિન્દુ અને મુસલમાન એ ઉભય કોમનું ધાર્મિક ઐક્ય થવું, એ તદન અસંભવિત છે.” કાજીએ દઢ નિશ્ચયપૂર્વક કહ્યું. કાજીના ઉપર્યુક્ત શબ્દો સાંભળી લીધા પછી સર્વ સભાસદે ક્ષણવાર ચૂપ રહા અને શહેનશાહ અકબર વિચારમાં પડી ગયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy