________________
ધાર્મિક ઐકય.
૧૭. પરંતુ તે પહેલાં આપને એ સમજાવવાની જરૂર છે કે હિન્દુ અને ઈસલામ એ ઉભય વિરોધી ધર્મનું એક્ય થવું શું સંભવિત છે? હરગીજ નહિ અને તેથી જ હું આપને અરજ ગુજારું છું કે આપ ધાર્મિક એકયના પ્રયાસને છોડી દે-સદંતર છોડી દે. હા, એટલું છે કે જે આપને ધામિક એક્ય ખરી રીતે કરવું જ હોય તે કાંતે બધાને મુસલમાન કરવા જોઈએ અને કાંતે આપણે બધાએ હિન્દ થઈ જવું જોઇએ. કેમ શાહ મનસુર ! તમારે આ વિષે શું અલિ. પ્રાય છે?” કાજીએ એમ કહીને શાહ મનસુર કે જે પિતાના મતને સર્વથા મળતું આવતું હતું તેને પૂછયું.
બરાબર છે, કાછેસાહેબ! તમારું કથન રાસ્ત છે.” શાહ મનસુર હા ભણી. *
કાજીસાહેબ! મને માફ કરજે; પરંતુ મારે કહેવું જોઈએ કે તમે ધાર્મિક એક્ય સંબંધી નાહક વહેમને ધરે છે. ધાર્મિક એક્યને અર્થ એ નથી કે બધાએ ઈસલામ કે હિન્દુ ધર્મને જ ગ્રહણ કરે તેને અર્થ માત્ર એટલેજ છે કે હિન્દુ, જૈન અને ઈસલામ ધર્મમાં અરસ્પરસ જે મતભેદે છે, તેને એક બાજુએ રાખીને સર્વ ધર્મના અનુયાયીઓએ દેશના સામાન્ય હિતની ખાતર પિતાની વચ્ચેના મનસ્યને દૂર કરીને પરસ્પર ભ્રાતૃભાવથી વર્તવું. તૈહિંદ-ઈ-ઈલાહીને અર્થ અથવા તે સિદ્ધાંત આજ છે, તેમ છતાં આવા સામાન્ય વિષયમાં તમે આનાકાની કરીને શહેનશાહને અવળે રસ્તે દેરવા માગે છે, એ તમારા જેવા વિદ્વાન પુરૂષને ગ્ય નથી.” અબુલફજલે ધાર્મિક એકયને ખુલાસો કરતાં કહ્યું.
અબુલફજલ! શહેનશાહને હું અવળે રસ્તે દેરવા માગું છું કે તમે દેરવા માગે છે, એ હકીકતને સર્વ ઈસલામીઓ સારી રીતે જાણતા હોવાથી તમારે મને એ વિષે કાંઈ પણ કહેવાની જરૂર નથી. હું તો મને જે ગ્ય લાગે છે, તે ખુલ્લા દિલથી શહેનશાહને તુરતજ કહું છું, કારણ કે હું તેને મારી ફરજ સમજું છું, પરંતુ તેથી તેમણે મારા વચનને માન્ય રાખવા જ જોઈએ, એ મારે તમને આવહ નથી.” કાજીએ કહેજ રોષપૂર્વક કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org