SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ભાગ્યવિધાયક ભામાશાહ. ઈચ્છતે નથી; કારણ કે તેમની ગાયનકળાની નિપુણતા માટે મને સંપૂર્ણ માન છે. મારે કહેવાને ભાવાર્થ માત્ર એટલું જ છે કે તાનસેનજી જેવા બીજા ગાયક પણ ભાગ્યે જ હશે.” એ માન્યતા જરા ઉતાવળી છે.” અકબરે રાજા બીરબલ તથા દિવાન ટેડરમલ્લને એકજ અભિપ્રાય જાણુને ગંભીરતાથી કહ્યું, “તમારે શુદ્ધ અને નિષ્પક્ષપાત અભિપ્રાય જાણીને મને સંતોષ થયો છે, કારણ કે આપણું આ સભામાં હરકેઈ સભાસદને સંપૂર્ણ સ્વતંત્રતા અને નિડરતાથી વિષય પરત્વે પિતાનાં અભિપ્રાય આપવાની છુટ છે, પરંતુ તાન સેનની ગાયનકળાને માટે આપણે અત્રે વાદવિવાદ કરવાને નથી અને તેથી એ વાતને પડતી મૂકવાની હું સર્વને સૂચના કરું છું, અત્રે આપણે જે વિષયને હાથ ધરી વાદવિવાદ કરવાનું છે અને ચર્ચા ચલાવવાની છે, તે આપણું નવિન પંથને પુષ્ટ કરવા વિષેને હોવાથી તે સંબંધી પોતપોતાના વિચારો જણાવવાને માટે હું તમારૂં સર્વનું ધ્યાન ખેંચું છું.” બાદશાહના છેવટના શબ્દો સાંભળી કાજીએ જરા આવેશપૂર્વક કહ્યું. “નામવર શહેનશાહ ! ધાર્મિક ઐક્ય સાધવાને માટે આપે તૈોહિદ-ઈ-ઈલાહી નામક નવિન પંથ સ્થાપીને જે પ્રયાસ કરવા માંડે છે તે પરવરદેગારના ફરમાનથી વિરૂદ્ધ છે, એમ હું ઘણીવાર કહી ગયો છું અને હજુ પણ એમજ કહું છું. માટે આપ એ ભ્રમમૂલક પ્રયાસને ત્યાગ કરીને પાક ઈસલામ ધર્મને પ્રચાર કરવાના કાર્યને હાથ ધરે, એવી મારી આપને અરજ છે.” “મારી પણ આપને એવીજ અરજ છે, કારણ કે કાજી. સાહેબ જે કહે છે, તે બીલકુલ સત્ય છે. ” અબદુલકાદરે કાજીના મતને પુષ્ટિ આપતાં કહ્યું. “પરંતુ ધાર્મિક એક્ય સાધવાને હું જે પ્રયાસ કરું છું, તે પરવરદિગારના ફરમાન વિરૂદ્ધ શી રીતે છે, તે મને જરા સમજાવશે?” અકબરે કાજીને ઉદ્દેશીને પૂછયું. એ હકીક્ત આપને કઈ વખતે એકાંતમાં સમજાવીશ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy