________________
ભાગ્યવિધાયક ભામાશાહ. જતું હતું. જ્યારે જ્યારે તે આગ્રાથી ફતેહપુર આવતો હતો, ત્યારે ત્યારે તે પોતાના ખાસ દરબારીઓ, પોતાના મિત્રો, પિતાના સલાહકારો અને તૈહિદ-ઈ-ઈલાહીના સર્વ વિદ્વાનેને પોતાની સાથેજ લઈ જતું હતું અને તેમની સાથે વિવિધ પ્રકારને વિનોદ કરીને અલૈકિક આનંદનો ઉપભોગ કરતો હતે. રવિવારને દિવસ અને અનુકુળ સમય હોવાથી ઈબાદતખાનામાં નિયમ મુજબ તૈહિદ-ઈ-ઈલાહીના વિદ્વાનોની સભા ભરવામાં આવી હતી અને સર્વ સભાસદની મધ્યમાં બાદશાહ અકબર ઇંદ્ર સમાન શોભતો હતું. આ સભામાં અબુલફેઝ, અબુલફઝલ, અબદુલ કાદર, કાજી, શાહ મનાતુર, મીર આલમ, તાનસેન, રાજા પૃથિવીરાજ, રાજા બીરબલ, દિવાન ટોડરમલ, થાનસિંહ, કરમચંદ, કવિ ગંગ અને પંડિત જગન્નાથ વગેરે વિદ્વાનો હાજર હતા અને તેઓ પરસ્પર અનેક પ્રકારના વિષય ઉપર ચર્ચા ચલાવી રહ્યા હતા. બાદશાહ અકબરે આ વખતે સર્વને ચપ રહેવાની ઈશારત કરતાં સર્વ સભાસદો ચૂપ થઈ ગયા. ત્યારબાદ તેણે તાનસેન સામે નજર કરીને કહ્યું “ તાનસેન ! ” . * તાનસેને તુરતજ જવાબ આપે, “ફરમાન ખુદાવંદ!”
“આપણે અત્યારે કોઈ પણ વિષય ઉપર ચર્ચા ચલાવીએ તે પહેલાં તમે એકાદ મીઠું અને મધુર ગાન સંભળાવીને અમારા
૧ દિવાન ટેડરમલ અકબરશાહને મુખ્ય દિવાન અને જાતિનો બ્રહ્મક્ષત્રી હતા અને તે અરબી, ફારસી અને સંસ્કૃત ભાષામાં મહા નિપુણ હતા, એમ પ્રતાપપ્રતિજ્ઞા નાટકમાં રા. નથુરામ સુંદરજી શુકલ લખે છે; પરંતુ શ્રીયુત બાબુ ઉમરાવસિંહજી ટાંક બી. એ. એલ. એલ. બી. કહે છે કે ટેડરમલ્લ શહેનશાહ અકબરનો કોષાધ્યક્ષ હતું. તેનું નામ અકબરના દરબારના પ્રસિદ્ધ જેનીઓમાં સર્વથી મશહૂર છે. તે જાતિએ ઓસવાલ હતો અને તેના વંશજો ટેડરમહૌર નામથી પ્રસિદ્ધ છે અને અજમેર તથા જોધપુરમાં આજે પણ જોવામાં આવે છે. આ બંને વાતોમાંથી કઈ ખરી અને કઈ ખોટી, એ નક્કી કરવાનું કાર્ય અને ઈતિહાસવેત્તાઓને સોંપીએ છીએ. ઐતિહાસિક વિષયોમાં આવા ઘણા મતભેદે રહેલા છે અને તેથી આવા વિદ્વાન પુરૂષોનાં જુદાં જુદાં જીવનચરિત્રો લખવામાં આવે, તો જ તેઓ ખરી રીતે કોણ હતા, એ જાણી શકાય.
–લેખક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org