________________
- ધાર્મિક ઐક્ય.
૧૮૩ સંપાદન કરી લીધું હતું; બાદશાહ અકબર સારી રીતે સમજતે હતે કે હિન્દુસ્થાનના લેકે પિતાના ધર્મને પોતાના પ્રાણ કરતાં પણ વધુ ચાહનારા છે અને તેથી તેણે જૂદા જૂદા ધર્મને માનનારા વિદ્વાનની એક સભા સ્થાપી હતી અને તે દ્વારા પોતે દરેક ધર્મનું રહસ્ય સમજીને સર્વને સંતોષ આપતો હતે. હિન્દુ અને મુસલમાન એ એક વિરૂદ્ધ સ્વભાવ, વિરૂદ્ધ આચાર વિચાર અને વિરૂદ્ધ ધર્મને ધારણ કરનારી જાતિઓ હોવાથી તેમનું ધાર્મિક ઐક્ય કરવાની ખાતર તેણે આ સભા સ્થાપી હતી અને તેનું નામ તૈહિદ-ઈ-ઈલાહી એટલે કે “પરમતત્વની એકતા” એવું રાખ્યું હતું. આ સભાને માટે તેણે ફત્તેપુર સીક્રીમાં ખાસું મકાન તૈયાર કરાવીને તેને ઈબાદતખાનાનું નામ આપેલું હતું. શહેનશાહ અકબરે જે કે પિતાની રાજ્યગાદી આગ્રામાં રાખેલી હતી તે પણ તે પિતાને ઘણખરો સમય ફત્તેહપુર સીકીમાંજ ગાળતું હોવાથી તેણે ઈબાદતખાનાના અતિ ભવ્ય અને સુંદર મકાનને ત્યાંજ બંધાવ્યું હતું, બાદશાહ આ ઈબાદતખાનામાં બેસીને પ્રત્યેક ધર્મના વિદ્વાનની સાથે ધાર્મિક ચર્ચા ચલાવતા હતા અને પિતાની શંકાનું સમાધાન કરતા હતો. વિદ્વાન અને તત્વજ્ઞ પુરૂષના સહવાસ અને નિત્યના પરિચયથી તેનું જીવન ઉજવળ બનતું જતું હતું, પરંતુ જ્યારથી તેને જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિનો સમાગમ થયો અને તેમના ઉત્તમ, અમૃતમય ઉપદેશનું તેણે પાન કર્યું, ત્યારથી તેના જીવનમાં ઘણે જ ફેરફાર થઈ ગયે હતો અને તે એટલે સુધી કે કેટલાક કટ્ટર મુસલમાને તેના જીવનમાં થયેલા ફેરફારના અંગે તેના આચારવિચાર જોઈને તેનાથી નારાજ થઈ ગયા હતા અને ખુદ શાહજાદા સલીમને પોતાના બાબાની વિરૂદ્ધ ઉશ્કેરીને તેની સામે બળવે જગાડવાને પણ લલચાવી શક્યા હતા, પરંતુ મહા વિચક્ષણ અને રાજ્યકાર્યકુશળ અકબરે પિતાના વિરોધીઓને શામ, દામ, ભેદ અને દંડથી સમજાવીને પિતાની સત્તા જેવીને તેવી ટકાવી રાખી હતી.
જે સમયની ઘટનાને અમે અત્રે ઉલ્લેખ કરીએ છીએ, તે સમયે મેગલકુલતિલક શહેનશાહ અકબર ફત્તેપુર સીકીમાં વિરાટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org