________________
ધાર્મિક ઐક્ય.
૧૮૧ આ વખતે કુમાર અમરસિંહ અને રણવીરસિંહ ઉતાવળા ઉતાવળા આવી પહોંચ્યા અને તેમણે મહારાણા તરફ જોઈને કહ્યું.
મેગલેને આપણું આ નિવાસસ્થાનની પણ ખબર પડી ગઈ જણાય છે, કેમકે તેમની એક ટુકડી આ તરફ એકદમ ધસારાબંધ ચાલી આવે છે અને તેથી ભીલના નાયકે આપણને આ સ્થળને ત્યાગ કરવાની સૂચના મોકલાવી છે.”
“હું ધારતે જ હતો કે ચાલાક ગલાથી આપણું આ સ્થળ પણ ગુપ્ત રહેશે નહિ અને થયું પણ તેમજ. ઠીક, તમે આપણા સઘળાં પરિવારને લઈ ભીલનાયક સલાહ આપે, તે તરફ ચાલ્યા જવાની ગોઠવણ કરે અને અમે પણ તમારી પાછળ જ આવી પહોંચીએ છીએ.” પ્રતાપસિંહે એમ કહીને તેમને જવાની સૂચના કરી.
ભીલનાયકે આ પણ શેઠવણ મુજબ સુન્ધાના પહાડોમાં જવાની અમને ખબર મેકલાવી છે અને તેથી અમે ત્યાં જવાની ગોઠવણ કરી લઈએ છીએ.” એમ કહી અમરસિંહ તથા રણવીરસિંહમહારાણીને પોતાની સાથે લઈને તુરત જ ચાલ્યા ગયા.
તેઓના જવા પછી પ્રતાપસિંહ તથા ભામાશાહ અન્ય સરદારે અને રાજપૂતેની સાથે તેમની પાછળ ગયા અને તેઓને ગયાને બહુ વાર થઈ નહિ હોય, એટલામાં તો મોગલો ત્યાં આવી પહોંચ્યા, પરંતુ પ્રતાપસિંહ વગેરેને ત્યાં નહિ જોવાથી તેઓ બીજી દિશામાં તેમની શોધ કરવાને દેડી ગયા.
–ા – પ્રકરણ ૨૨ મું.
ધાર્મિક ઐક્ય શનેહશાહ અકબરના સંબંધમાં આપણે જાણવા ગ્ય ઈતિહાસ પ્રસ્તુત નવલકથામાં વાંચી ગયા છીએ અને તેના ગુણ દેષની બને બાજુઓને પણ પ્રસંગે પાત જોઈ ગયા છીએ તે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org