SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ભાગ્યવિધાયક ભામાશાહ. લખાતું નથી અને તેથી હું દિલગીર છું, પરંતુ જ્યારે હું આપના સાહસને અને આપની વીરતાનો વિચાર કરું છું, ત્યારે મારી એ દીલગીરી કેટલેક અંશે ઓછી થાય છે. છેવટમાં ભગવાન એકલિંગજી આપણા દેશનું કલ્યાણ કરો, એ અંતરની તીવ્ર ઈા સમેત વિરમું છું. મંત્રીશ્વર ભામાશાહ જેવા મુસદ્દી અને કલાવિન્દ પુરૂષ જેના સલાહકાર અને સહાયક છે, તે રાજા કદિ પણ પરાજય પામશે નહિ, એવી મને ખાતરી છે અને મારી એ ખાતરી સાચી નિવડે. એવી પરમાત્મા પાસે મારી નમ્ર પ્રાર્થના છે. લી. પરતંત્રતાની બેડીમાં જકડાયેલે. પુથિવીરાજ. ભામાશાહ ઉપર પ્રમાણે પત્ર વાંચી રહ્યો, એટલે પ્રતાપસિંહે આનંદ પામીને કહ્યું. “ભામાશાહ! મારા મિત્ર પૃથિવીરાજની દેશના ઉદ્ધાર માટેની તીવ્ર લાગણી જોઈ મને બહુ જ આનંદ થાય છે અને તેથી મારા હૃદયમાં બળનો સંચાર થાય છે. પૃથિવીરાજ જે રાજા જે આ વખતે સ્વતંત્ર હતા, તે તેની સહાયથી આજે કયારનેએ મેવાડને ઉદ્ધાર થઈ ગયો હોત. કેમ મારી ધારણા સત્ય છે ને ?” આપની ધારણા કેવળ સત્ય છે, કેમકે તેઓ જેમ સાહિત્ય રસિક અને કાવ્યવિદ છે, તેમ યુદ્ધમાં પણ જવાંમર્દી અને બહાદૂર નર છે અને તેથી તેમના જેવા પુરૂષ જે આપણા પક્ષમાં આ વખતે હેત તે આપણને ઘણું જ સરલતા મળી આવી હત; ૨૫તુ તેઓ શહેનશાહ અકબરની નજરકેદમાં હોવાથી આપણને તેમની સહાયતાને લાભ મળી શકે તેમ નથી, એ જે કે દીલગીરી ભરેલું છે, તે પણ તેમની લાગણી અને શુભેચ્છા માટે આપણે તેમને આભાર માનવે જોઈએ છે. રાજસ્થાનનાં ઘણું ખરા રાજાઓ અને ખુદ તેમના ભાઈ રાયસિંહ પણ જ્યારે અકબરના દાસત્વને સ્વીકાર કરી પોતાની પુત્રીએ તેને આપી ચુકયા છે, ત્યારે પૃથિવીરાજ જેવા નરરત્ન બાદશાહની નજરકેદમાં રહ્યાં છતાં પણ આપણને આટલી સહાય અને સલાહ આપે છે, એ કાંઈ જેવી તેવી ખુશાલીની વાત નથી.” ભામાશાહે કહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy