________________
૧૭૮
ભાગ્યવિધાયક ભામાશા.
માન્યતા તદ્દન ભૂલ ભરેલી છે. ” પ્રતાપસિંહે દાસત્વ અને ગુલામગીરી શબ્દ ઉપર ભાર મૂકીને આશ્ચર્ય દર્શાવતાં કહ્યું.
મારી માન્યતા જયારે ભૂલભરેલી છે. ત્યારે આપ શી રીતે સુખી થવાને ઇચ્છે છે ?” ભામાશાહે પૂછ્યું.
“શી રીતે ?” પ્રતાપસિંહે આશ્ચર્ય પામીને કહ્યું અને એમ કહેતાં જ તે વિચારમાં પડી ગયે. કેટલેક સમય સુધી શાંતિપૂર્વક વિચાર કર્યા પછી તેણે કહ્યું. “ભામાશાહ ! ખરેખર મારી ભૂલ થઈ છે. દુખના અતિરેકથી મારા થી નિરાશાના જે શબ્દ બેલી જવાયા છે, તે માટે મને હવે ઘણેજ પશ્ચાતાપ થાય છે. મારાં પ્રિય બાળકોને સુધાના દુઃખથી પીડાતાં જોઈને મારી ધીરજ ચાલી ગઈ હતી; પરંતુ તમારા તથા મહારાણીના આવેશપૂર્ણ શબ્દથી મારામાં પુન: ધીરજ અને દઢતાએ આવીને વાસ કર્યો છે અને તેથી ભગવાન એકલિંગજીના સેગન ખાઈને પ્રતિજ્ઞા કરૂં છું કે હું જે દુખને અનુભવ હાલ કરી રહ્યો છું. તેનાથી અધિકતર દુઃખને અનુભવવાને સમય ભવિષ્યમાં કદાચ પ્રાપ્ત થાય અને મૃત્યુ બે દિવસ પછી આવતું હોય, તે ભલે આજે જ આવે; પરંતુ મોગલોના દાસત્વને નહિ સ્વીકારવાનો મેં જે નિશ્ચય કર્યો છે, તેને પૂર્ણ દઢતા અને અડગ શ્રદ્ધાથી વળગી રહીશ. કહે, પ્રિયદેવી અને ભામાશાહ ! હવે તમે શું કહેવા માગો છો ?”
પ્રાણનાથ !” પદ્માવતીએ તુરત જ ઉત્તર આપે. “હવે અમારે કાંઈપણ કહેવાનું છે જ નહિ અને જે હેય, તો તે માત્ર એટલું જ છે કે ભગવાન એકલિંગજીની કૃપાથી આપને નિશ્ચય ફલિભૂત થાઓ.”
મારૂં કહેવાનું પણ એટલું જ છે કે પરમાત્માની કૃપાથી આપનો વિજય થાઓ.” ભામાશાહે કહ્યું.
પ્રતાપસિંહ ઉત્સાહિત વદને કાંઈક બોલવા જતું હતું, એટલામાં તેના એક વિશ્વાસુ ભીલે તેની સામે આવી તેને નમીને તેના હાથમાં એક કાગળ મૂળે. પ્રતાપે કાગળને હાથમાં લઈ આમ તેમ ફેરવતાં આવેલ ભીલને પૂછયું. “મારા મિત્ર પૃથિવી. રાજને આ કાગળ જણાય છે. કેમ ખરું ને?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org