SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ હતું કષ્ટને અવધિ. હા, તે જે કહે છે, તે સત્ય છે, કારણ કે હવે મારા દુઃખને અવધિ આવી રહ્યો છે, હવે હું તેને સહન કરવાને તૈયાર નથી.” મહારાણાએ જવાબ આપ્યો. પણ આમ નિરાશ થવાનું કાંઈ કારણ છે?” ભામાશાહે પુનઃ પૂછયું. કારણ!” પ્રતાપસિંહે કહ્યું “કારણ વિના કાર્ય સંભવતું જ નથી. ધન, કીર્તિ, માન, મોટાઈ, વૈભવ, વિલાસ, રાજપાટ વગેરે સર્વ સુખનાં સાધનો ત્યાગ કરીને દેશની સ્વતંત્રતા સાચ વવાને માટે વનવાસને ગ્રહણ કર્યા છતાં પણ જયારે જય મેળવવાની એક પણ આશા રહી તેથી, ત્યારે દુરાગ્રહને વશ થઈ અસહ્યા દુઃખને સહન કરવા, એ શું મૂર્ખતા નથી? મંત્રીધર ! હવે તે જે રીતે હું મારા આપ્તજનોને સુખી કરી શકું, તેજ રીતને ગ્રહણ કરવાની છે અને તેથી જ હું કહું છું કે હું હવે તમારા મિથ્યા આશ્વાસનને નહિ માનતાં મને જે ઠીક લાગશે તે જ કરીશ.” મહારાણા! કઈ દિવસ નહિ અને આજે આપને આપનાં આપ્તજનેને બહુ મેહ લાગે, એનું શું કારણ? આપ વિચાર કરશે તે જણાશે કે અમે પણ અમારાં આપતજનેને સુખી કરવાને આતુર છીએ, પરંતુ તેમને સુખી શી રીતે કરવા ? બીજા રાજપૂત રાજાઓએ જેવી રીતે પોતાની સ્વતંત્રતા વેચીને તથા પોતાની હેન-દીકરીઓને મોગલ બાદશાહને આપીને મહાન એશ્વર્યને પ્રાપ્ત કરી પોતાનાં વ્હાલાંઓને સુખી કર્યા છે, એવી રીતે શું આપ તેમને સુખી કરવાને ચાહે છે? અને જે ચાહે છે તે આપ શહેનશાહ અકબરનું દાસત્વ સ્વીકારવાને શું તૈયાર છે?” ભામાશાહે આવેશપૂર્વક કહ્યું. શહેનશાહ અકબરનું દાસત્વ! મેગની ગુલામગીરી ! મંત્રીશ્વર ! તમે શું કહે છે, તે હું સમજી શકતા નથી. શું હું મારી પુત્રીને વિધમી મોગલ બાદશાહને આપીને તથા મારી સ્વ. તંત્રતાને વેચીને મારાં આપ્તજનોને સુખી કરવાનું ચાહીશ, એમ તમે માને છે? અને જો તમે એમ માનતા હો, તે તમારી એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy