SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ભાગ્યવિધાયક ભામાશા. સમયમાં મેવાડને પુનરૂદ્ધાર મારાથી થવે શું સંભવિત છે કે મારે તેને સમરણમાં રાખવી ? નહિ જ અને તેથી આવી દુ:ખી અને અપમાનજનક સ્થિતિમાં પ્રતિજ્ઞાનું પાલન કરવાના આગ્રહને ટકાવી રાખી હું હવે તમને વધારે વખત દુઃખી કરવા માગતું નથી. પ્રિયદેવી ! હવે હું તમારા મિથ્થા આવાસનને માનવાને નથી; કિન્તુ મને જે ઠીક લાગશે તેજ કરવાને છું.” પદ્માવતી કાંઈક બોલવા જતી હતી, પણ એટલામાં મંત્રીશ્વર ભામાશાહને આવતે જોઈને ચુપ થઈ ગઈ અને તેની સામે જોઈ રહી. ભામાશાહે રાજદંપતીને નમન કરીને મહારાણું તરફ જોઈ મહારાણને ઉદ્દેશીને પૂછયું “રાજરાણી ! શી વાતચિત ચાલી રહી છે? મહારાણુ કેમ ઉદાસ જણાય છે?” મહારાણીએ જવાબ આપે. “ મંત્રીવર ! વાતચિત બીજી શી હોય ? તમારા મહારાણું બાળકનું સુધાનું દુઃખ જોઈ ઉદાસ અને નિરાશ થઈ ગયા હોવાથી હું તેમને આશ્વાસન આપું છું; પરંતુ તેઓશ્રી કહે છે કે હું હવે તમારા મિથ્યા આશ્વાસનને માનવાને નથી, કિન્તુ મને જે ઠીક લાગશે, તેજ કરવાનો છું.” મહારાણી !” ભામાશાહે કહ્યું “આપની વાતને હું અસત્ય ઠરાવવા ઈચ્છતા નથી, પરંતુ વિશિરોમણ અને દઢપ્રતિજ્ઞ મહારાણાના સ્વભાવને હું જાણું છું તેઓશ્રી નિરાશાના ઉદ્દન ગારે કહાડે, એ મને સંભવિત લાગતું નથી. શું સિંહ કદાપિ ઘાસ ખાવાને તૈયાર થતું હશે ખરો?” મંત્રીશ્વર !” મહારાએ કહ્યું. “તમારી વાતને હું સ્વીકાર કરું છું કે સિંહ કદાપિ ઘાસ ખાય નહિ, પરંતુ મહારાણાની ઉદાસ મુખમુદ્રાને અને તેમની દુર્બળ સ્થિતિને એક વખત જોઈ અને પછી જે કહેવું હોય, તે મને કહેજે.” ભામાશાહે મહારાષ્ટ્રની મુખમુદ્રા તરફ જોયું તે ખરેખર તેની ઉપર ઉદાસિનતા અને નિરાશાની કાલિમા છવાઈ ગઈ હતી. અને તેથી તેણે પૂછયું “મહારાણું ! મેવાડેશ્વર ! દેવી પદ્માવતી જે હકીકત કહે છે, તે શું સત્ય છે?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy