________________
કષ્ટનો અધિ.
૧૫ તૈયારીમાં છે, હવે બાકી શું રહ્યું કે ધીરજને રાખવી? દેશની સ્વતંત્રતાના યજ્ઞમાં સર્વસ્વની આહુતિ આપવા છતાં પણ જ્યારે વિજયની આશા જણાતી નથી, ત્યારે પછી આમ કયાં સુધી અને શા માટે દુઃખી થવું જોઈએ ? હે પરમાત્મા ! હે કૃપાળુ ભગવાન ! હવે આ દુ:ખને જોયું જાતું નથી; હવે તે સહન થતું નથી અને તેથી જીવીને પણ હવે શું કરવું છે? કાંતે આ દુ:ખી જીવનને
વેરછાએ અંત આણવો અને કાંતે આ ભૂમિને સદંતર ત્યાગ કરીને ચાલ્યા જવું. આ બન્નેમાંથી એક ઉપાય અજમાવ્યા સિવાય હવે અન્ય એક પણ માણે આપણા માટે રહ્યો નથી. પ્રિય દેવી ! કહે જે સત્ય હેય તે કહે કે આ ઉભય ઉપામાંથી મારે ક્યા ઉપાયને ગ્રહણ કરે ?
મહારાણીએ જોયું કે પિતાના પતિ તદ્દન નિરાશ થઈ ગયા છે અને તેથી નિરાશાના અતિરેકથી તે વગર વિચાર્યું કોઈ પણ કાર્ય કરી બેસશે, એમ વિચારી તેણે તેની પાસે જઈને અત્યંત મીઠી મધુર વાણથી કહ્યું. “પ્રાણપતિ !”
“કેમ?” મહારાણાએ આખેઆ ફાડીને કહ્યું !
આપને આ શું થયું છે? આપ કેમ સાવ નિરાશ થઈ ગયા છે? મેવાડને સિંહ એક સામાન્ય દુ:ખથી શું કાયર બની ગણે છે કે તેના મુખમાંથી નિર્બળ શિયાળને પણ ન છાજે તેવાં અયોગ્ય વચનો નીકળે છે? મહારાણા પ્રાણનાથ ! આપ વિચાર કરે કે આપ કોણ છે ? આપની પ્રતિજ્ઞાને યાદ કરો ગમે તે ભેગે અને ગમે તે ઉપાયે મેવાડને પુનરૂદ્ધાર કરવાની આપે પ્રતિજ્ઞા કરી છે, તેનું શું આપને વિસ્મય થયું છે? હું નથી ધારતી કે આપને તેનું વિસ્મરણ થયું હોય અને તેમ છતાં આપ આવા નિરાશાના ઉદ્દગારો કહાડે છે એ શું આપને શોભે છે?” પદ્માવતીએ આવેશપૂર્વક કહ્યું.
પ્રતાપસિંહે દીલગીરી ભરેલા સ્વરથી કહ્યું. “વહાલી ! પ્રતિજ્ઞાને હું ભૂલી ગયે નથી અને જ્યાં સુધી મારી હૈયાતી હશે, ત્યાં સુધી ભૂલીશ પણ નહિ, પરંતુ તેને ભૂલવી કે ન ભૂલવી, એ બને હવે સરખું જ છે, કારણ કે આવા અત્યંત ભયંકર દુઃખના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org