SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ કષ્ટને અધિ. ટકાવી રાખવાની ઈચ્છા હોવા છતાં પણ જે કાળ, સંયેન કે કર્મના પ્રભાવથી માનસિક દુર્બળતાને વશ થઈને અસ્થિર બની જાય, તે તેમાં આશ્ચર્ય પામવાનું કશું પણ પ્રજન નથી. ઘણીવાર આપણે જોઈએ છીએ કે એક મનુષ્યને માથે દુઃખનું વાદળ તુટી પડે છે, તેને વૈભવ ચાલ્યા જાય છે, તેના ધનને નાશ થાય છે અને વખતે તેના ઉપર પ્રાણસંકટ પણ આવી પડે છે, તે પણ તે પિતાના નિશ્ચયથી જરા પણ ચલિત થતું નથી, પરંતુ જ્યારે તેના હૃદયના ટુકડાએરૂપી વ્હાલાંઓ ઉપર કોઈ જાતના સંકટની અસર થાય છે અને તેમને દુઃખી થતાં જુએ છે, ત્યારે વૈર્ય સર્વથા રહેતું નથી. મહારાણા પ્રતાપસિંહના સંબંધમાં પણ આમ જ બન્યાનું કહેવાય છે. તેણે પોતાના દેશની સ્વતંત્રતા પુન: મેળવવાની ખાતર સર્વસ્વને ત્યાગ કરીને વનવાસને સ્વીકાર કર્યો હતો અને આનંદથી અસહૃા દુઃખને સહન કરવાનું પણ પસંદ કર્યું હતું અને તે માટે આપણે તે મહાન પ્રતાપી નરપુંગવની જેટલી પ્રશંસા કરીએ, તેટલી થેડી જ છે; પરંતુ જ્યારે તેણે પોતાના પ્રિય બાળકે અન્નને માટે રડતાં અને ક્ષુધાથી પીડાતાં જોયા, ત્યારે એ પ્રતાપી પુરૂષના વૈર્યને અવધિ આવી રહ્યો અને તેથી તેના મુખમાંથી નિરાશાના ઉગારો નીકળી પડ્યા હતા. હકીકત એવી છે કે એક સમયે પ્રતાપસિંહ વનમાં ગ્ય સ્થળે બેઠે બેઠે પિતાના દેશની દુર્બળતા વિષે અવનવી કલ્પનાઓ કરતે હતો, તે સમયે તેની મહારાણ પદ્માવતી તેની પાસે આવી પહોંચી. મેવાડના મહારાણા પ્રતાપ સિંહની મહારાણી પદ્માવતીના અંગ ઉપર અતિ સામાન્ય અને સાદાં વસ્ત્રો હતાં. આભૂષણનું તે નામ સરખું પણ નહોતું. તેની કાન્તિ પીકી પડી ગઈ હતી. અને તેનું મુખાવિંદ કરમાઈ ગયું હતું. તે પિતાના પતિ પાસે સામે આવીને જ્યારે ઉભી રહી, ત્યારે તેના નેત્રકમળમાંથી અશ્રુની ધારા ચાલી જતી હતી. પ્રતાપસિંહે પોતાની પ્રાણથી પણ અધિકતર પ્રિય મહારાણુને રડતી જોઈને તેની સામે ક્ષણવાર જોયા પછી ઉદ્વિગ્ન સ્વરે પૂછયું. “પ્રિય દેવી! તારાં નેમાં અશ્રુની ધારા કેવી ? તું તો રોજ મને આશ્વાસન આપે છે અને આજે તુંજ ઉઠીને રડે છે; એનું શું કારણ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy