________________
૧૭૨
ભાગ્યવિધાયક ભામાશા.
પણ આવતું નહોતું અને તેથી તે એક સામાન્ય ભિક્ષુકથી પણ દુઃખી હતા, એમ કહેવામાં અમે બીસ્કુલ અતિશયોક્તિ કરતા નથી. વિરવર પ્રતાપસિંહની આવી સ્થિતિ હતી, એ નિર્વિવાદ વાત છે અને સમર્થ ઈતિહાસવેત્તાઓ પણ એજ પ્રમાણે કહે છે તે પણ તેના બૈર્યને, તેની દઢતાને, તેની સ્વદેશભકિતને અને તેના હૃદયની શાંતિને આજ સુધી જરાપણ ભંગ થયે નહોતે; પરંતુ આપણે તેના ઉત્તમ ગુણેનું ગમે તેટલું વર્ણન કરીએ, તો પણ તે અંતે તે એક સંસારી મનુષ્ય જ હતું, એ વાતને આપણે ભૂલી જવાનું નથી. એક મનુષ્યનું ચારિત્ર ગમે તેટલું ઉત્તમ હોય, તેનામાં ગમે તેટલા અસાધારણ દૈવી ગુણો હોય અને તેનામાં ગમે તેટલી દઢતા હેય, તે પણ જ્યાં સુધી તે એક સંસારની સ્થિતિમાં હોય છે, જ્યાં સુધી તે વ્યક્તિગત પ્રેમમાં મશગુલ હોય છે અને
જ્યાં સુધી તે આ મારૂં અને આ તારૂં એવી ભેદબુદ્ધિમાં રહેવાનું ઈચ્છે છે ત્યાં સુધી તે આત્માની ઉંચી હદને પામી શકતે નથી અને તેથી કાળના પ્રભાવે, સંગના બળ અને કર્મના ઉદયે જે તેનાથી પિતાની દ્રઢતામાં સર્વથા સ્થિર ન રહી શકાય, તે તે માટે તે જરા પણ દેષને પાત્ર નથી, કારણ કે એવી અવસ્થામાં તેનાથી પિતાની દઢતાને બરાબર સાચવી ન શકાય તે એકમનુષ્યને માટે તે સ્વાભાવિક જ છે. અમે અત્રે ચરમશરીરી અને પરમાત્મસ્વરૂપ મહાપુરૂષની વાત કરતા નથી, પરંતુ સામાન્ય મનુષ્ય વર્ગ. ની જ વાત કરીએ છીએ અને તેથી અમારા કથનમાં કોઈને શંકા લાવવાની કશી પણ અગત્ય નથી, તેમ છતાં અમે અમારા આ કથનને સિદ્ધાંત તરીકે ઠરાવવા માગતા નથી, કારણ કે ઘણાં સામાન્ય ગણાતાં મનુષ્યએ પણ સમયપરત્વે એવું અદ્દભૂત આત્મવીર્ય દર્શાવી આપ્યું છે અને છેવટ સુધી પોતાના નિશ્ચયને–સત્યાગ્રહને એવી તે દઢતાથી વળગી રહ્યા છે કે તેમણે પિતાના આત્મીય વહાલાંઓની, અખુટ સંપત્તિની, અલૈકિક વૈભવ-વિલાસની અને પિતાના પ્રિય પ્રાણની પણ દરકાર કરેલી નથી. આ વાત ઈતિહાસના જાણકારોથી અજાણું નથી, પરંતુ અમારે કહેવાને આશય માત્ર એટલો જ છે કે એક મનુષ્ય પોતાની ગમે તેટલી દઢતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org