________________
કષ્ટને અવધિ.
૧૭૧ આશ્રયહીન અને નિરાધાર માણસની જેમ આમથી તેમ અને તેમથી આમ ભટકવાનું શરૂ કર્યું. ઘડીમાં એક સ્થળે તે ઘડીમાં બીજે સ્થળે એ પ્રમાણે વનમાં ભટક્તાં ભટકતાં તેના અને અવધિ આવી રહ્યું હતું. એકાદ ગુપ્ત સ્થળ શોધીને ત્યાં વસવાને નિશ્ચય કરતું હતું કે તુરતજ તેના ભીલતો મેગલ તેની શોધમાં આવી પહેચાની ખબર આપતા હતા અને તેથી તેને તાબડતોબ ત્યાંથી ચાલ્યા જવું પડતું હતું અને બીજા સ્થળની તપાસ કરવી પડતી હતી. કોઇ વખતે વનમાંથી કંદમૂળાદિ જે મળતું હતું, તેને ખાઈને પિતાની સુધાને તૃપ્ત કરવાની ખાતર તે પિતાના પરિવારની માણસો સાથે બેસવાની તૈયારી કરતો હતો, પરંતુ તે દરમ્યાન શત્રુ એના આગમનના સમાચાર તેને મળતા અને તેથી ખાવાનું મુલતવી રાખીને પણ તેને પોતાનાં આપ્તજનેને બચાવવાની ખાતર નાશી જવું પડતું હતું. આ પ્રમાણે એક બે વાર નહિ, પણ ઘણી વાર બનતું હોવાથી તેના દુઃખને હવે પાર રહ્યો નહોતે. મોગલે તેની શોધ એટલી બધી ખંતથી અને કાળજીથી કરતા હતા કે તે એક પણ સ્થળે નિરાંત કરીને રહી શકતો નહોતો અને ઘડીએ ઘડીએ તેને એક સ્થળેથી બીજે સ્થળે અને બીજે સ્થળેથી ત્રીજે સ્થળે નાસી જવું પડતું હતું. મેવાડના મહારાણા પ્રતાપસિંહની આ સમયે એટલી બધી દુ:ખદ અવસ્થા થઈ પડી હતી કે તેને અને તેના માણસને ખાવાને પટપુર અન્ન પણ મળતું નહોતું અને કદિ જ્યાં ત્યાંથી લાવીને ખાવાને બેસતાં તે મોગલે તેની શેધમાં નિરંતર ફરતા રહેતા હોવાથી તેમને નિરાંતે બેસીને ખાવાને વખત પણ રહેતો નહોતે. ટુંકામાં કહીએ તે આ સમયની પ્રતાપસિંહની સ્થિતિ એક ગરીબમાં પણ ગરીબ અને નિર્ધનમાં પણ નિર્ણન દુઃખી ભિક્ષુકની સ્થિતિ કરતાં પણ ખરાબ હતી. કારણ કે એક ભિક્ષુક જો કે ગરીબ અને નિર્ધન હોય છે, તે પણ તે માગીભિખીને પિતાનું અને પિતાના કુટુંબનું ઉદરપોષણ કરીને આનંદને અનુભવ કરી શકે છે, પરંતુ પ્રતાપસિંહને તે તેને અને તેના પરિવારને માટે પેટપુર ખાવાનું મળતું નહોતું, એટલું જ નહિ, પણ ચિંતા, ભય, દુઃખ, ગ્લાનિ અને શેકથી તેને શાંતિ કે આરામનું સ્વપ્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org