________________
૧૭
ભાગ્યવિધાયક ભામાશા. પડી અને હસતાં હસતાં તે પણ વૃક્ષને જેમ સુકેમલ વેલી આલિંગન કરે છે તેમ પૃથિવીરાજને આલિંગની ભેટી પડી. અમે નથી જાણતા કે આ ઉભય પ્રેમીએ પ્રેમાલિંગનમાંથી ક્યારે છૂટા થયા? અમે જાણીએ છીએ માત્ર એટલું જ કે તેઓ તે પછી લગ્નની પવિત્ર ગાંઠથી જોડાઈને પરમાનંદથી દિવસે ગુજારવા લાગ્યા હતા અને અમે આશા રાખીએ છીએ કે અમારા વાંચક બધુઓ એટલાથીજ સતેષને ધારણ કરશે.
પ્રકરણ ૨૧ મું.
કષ્ટને અવધિ. ઍન્ડ નગરના ઉપવનમાં થયેલ યુદ્ધમાં મેગલેને પરાજય થયા પછી તેઓ પુન: મોટું સૈન્ય લઈને પ્રતાપસિંહ ઉપર ચડી આવવાની તૈયારી કરી રહ્યા હતા. આ ખબર પ્રતાપસિંહને પિતાના ગુપ્ત દૂત મારફત મળતાં તેણે ભામાશાહ તથા ગેવિંદસિંહની સલાહથી ચેન્ડ નગરનો ત્યાગ કરીને આબુથી બાર ગાઉ પશ્ચિમમાં દૂર આવેલા પહાડોમાં ચાલ્યા જવાને નિશ્ચય કરી રાખ્યું હતું, એ આપણે સત્તરમા પ્રકરણમાં જોઈ ગયા છીએ. આ વખતે પ્રતાપ સિંહની પાસે સૈન્ય માત્ર નામનું જ હતું, કારણકે તેના ઘણાખરા બહાદુર યોદ્ધાઓ છેલ્લા યુદ્ધમાં માર્યા ગયા હતા અને જે બચ્યા હતા, તેઓ પણ તેની પાસે આવી દુઃખી સ્થિતિમાં કેટલે સમય રહેશે, તે વિષે કાંઈ કહી શકાય તેમ નહોતું અને તેથી જ્યારે તેણે ચૈન્ડ નગરને ત્યાગ કર્યો, ત્યારે તેની સાથે માત્ર તેનાં પરિવારનાં માણસે, તેનાં આપ્તજને, તેનાં ત્રણ ચાર વિશ્વાસુ સરદાર, ડાક રાજપૂત સૈનિકો અને તે સિવાય કેટલાક વિશ્વાસુ ભલો જ માત્ર હતા. સમસ્ત મેવાડમાંથી એક પણ નગર કે એક પણ ગ્રામ પ્રતાપસિંહના કબજામાં રહ્યું નહોતું. તેને પિતાને રાજા જાણીને કે પણ મનુષ્ય આશ્રય આપે તેમ પણ નહોતું અને તેથી તેણે કઈ ગુપ્ત અને દૂરના પ્રદેશમાં ચાલ્યા જવાને વિચાર કરીને વનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org