________________
ચંપાદેવી. પ્રેમની અને ખુદ તેની સ્મૃતિ કાયમ રાખવાને માટે હું તારી સાથે લગ્ન કરું તો મેં મારા પ્રિયતમાને અન્યાય આપે છે, એમ ગણાશે નહિ અને તેથી હું તારા પ્રેમને સ્વીકાર કરીને તે બદલામાં હું તને મારો અર્ધ પ્રેમ આપું તે તું મારી સાથે લગ્ન કરવાને ખુશી છે?” પૃથિવીરાજે નિખાલસ દિલથી બધી હકીકત કહીને છેવટે પૂછ્યું.
રાજાસાહેબ! પ્યારા! આપ મને આપને અર્ધ પ્રેમ આપે કે બધો પ્રેમ આપે અથવા તે મને ચાહે કે સદંતર ન પણ ચાહે, પણ મેં મારું દિલ જે આપને અર્પણ કર્યું છે, તે અન્યનું કદિપણ થશે નહિ અને તેથી આપની ગમે તેવી શરત મારે કબુલ છે, હું આપની સાથે લગ્નથી જેઠાવાને ખુશી જ છું” ચંપાદેવીએ જવાબ આપે.
પૃથિવીરાજે ખુશી થતાં કહ્યું “ચંપાદેવી! જ્યારે તું મારી શરતને કબુલ કરે છે, ત્યારે તું મારી સ્વર્ગસ્થ પ્રિયતમાની બહેન હાઈને હું પણ તારી સાથે લગ્ન કરવાને ખુશી છું. પ્યારી ચંપા! તું લીલાદેવીની સાક્ષાત મૂર્તિ જ છું અને તેથી મારે તારો શા માટે તિરસ્કાર કરવો જોઈએ? આવ, પ્રિય ચંપા! આવ અને આ દુઃખી પૃથિવીરાજના બળતા હૃદયને આલિંગીને તેને શાંત કર.”
ચંપાદેવીને એટલું જ જોઈતું હતું. તે પૃથિવીરાજના વચનથી અત્યંત ખુશી થઈ ગઈ; પરંતુ સ્ત્રીચિત લજજાના આવરણથી તે નીચું જોઈને ઉભી રહી અને તેણે કાંઈ પણ ઉત્તર આપે નહિ.
પૃથિવીરાજ તેને નિરૂત્તર રહેલી જોઈને તેની પાસે ગયા અને તેને પોતાના બાહુપાશમાં લઈને લજજાથી લાલચોળ બનેલા તેના અધરાણ ઉપર સ્નેહદાનરૂપી ચુંબન ભરીને તેણે કહ્યું:
“ચાંપાં ડગલાં ચાર, લટકંતી લાલાં જસે;
ભામન ભર ધર ભાર, પા અમૃત પૃથરાજજે.” ચંપાદેવી પિતાના પ્રિયતમ કવિની કાવ્યચાતુરી જોઈને હસી * પ્રતાપ પ્રતિના નાટકમાંથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org