________________
૧૬૮ ભાગ્યવિધાયક ભામાશાહ. પૂછયું. “ચંપાદેવી! શું તું મને ચાહે છે ? અને ચાહે છે તે શા કારણથી?”
“રાજાસાહેબ ! મેં જે કહ્યું છે, તેમાં શંકા ધરવાનું કશું પણ પ્રયોજન નથી, કારણ કે હું આપને ચાહું છું એ નિર્વિવાદ વાત છે, પરંતુ આપને હું શા કારણથી ચાહું છું અથવા તે આપને મેં મારું હૃદય શા માટે અર્પણ કર્યું છે, તે હું પણ જાણતી નહિ હોવાથી તેને ઉત્તર આપી શકીશ નહિં.” ચંપાદેવીએ સ્પષ્ટતાથી કહ્યું.
ચંપાદેવીના ઉત્તર પછી પૃથિવીરાજે ક્ષણવાર વિચાર કરીને કહ્યું. “ચંપાદેવી! તારી બહેન લીલાદેવીનું મૃત્યુ થતાં અન્ય સ્ત્રીની સાથે લગ્નની ગાંઠથી જોડાવાનો મારો વિચાર કિંચિત્માત્ર પણ નહોતું અને એ વિચાર પ્રમાણે વર્તવાને મેં નિશ્ચય પણ કરી રાખ્યું હતું, પરંતુ મારા મિત્ર અને સલાહકાર કરમચંદે આજે મને ફરીથી લગ્ન કરવાનો અને તે પણ તારી સાથે લગ્ન કરવાને એટલે બધો આગ્રહ કર્યો છે કે હું તેને તે બાબત સ્પષ્ટતાથી ના પાડી શકું તેમ નહિ હોવાથી વિચાર કરીને જવાબ આપીશ, એમ કહીને મેં તેના મનનું હાલ તુરત સમાધાન કર્યું છે. મારી માન્યતા એવી હતી કે તું મને ચાહતી નહિ હોય અને તેથી તારી પાસેથી તેને ખુલાસો મેળવ્યા પછી કરમચંદને હું જવાબ આપવાને હતું કે ચંપાદેવી મને ચાહતી નથી એટલે પછી મારે તેની સાથે બળાત્કારે શી રીતે લગ્ન કરવું? આવી રીતે તેને ઉત્તર આપીને હું મારા નિશ્ચયને વળગી રહેવાને માગતે હાઈને મેં તારી પાસેથી તું કોને ચાહે છે, એ જાણું લેવાના હેતુથી એ વિષયના પ્રશ્નો તને કર્યા હતા, પરંતુ તું જ્યારે મને ચાહે છે, ત્યારે તારા પ્રેમને અસ્વીકાર કરીને તને-મારી પ્રિય પત્નીની હેનને દુ:ખી કરવી અને સાથે સાથે મારા સાચા મિત્ર કરમચંદની સલાહને અમાન્ય રાખવી, એ હવે મને ઉચિત લાગતું નથી. ચંપાદેવી ! પ્રિયતમા લીલાદેવીને પ્રેમ એટલો બધો અગાધ હતું કે તેને હું મારા આખા જીવનપર્યત ક્ષણવારને માટે પણ ભૂલી શકું તેમ નથી, તે પણ મારી પ્રિયતમાના એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org