________________
*
:
-
- પંચપાદેવી. “મારા હૃદયની ગુપ્ત વાતને આપ શી રીતે જાણી શકે, એ એક જુદો જ સ્વાલ છે; પરંતુ આપ જ્યારે એ વાતને જાણતા નથી, ત્યારે મારે તે તમને કહેવી જ પડશે. રાજાસાહેબ! મારી સાથે ચાલો; હું આપને હમણાંજ બતાવી આપું છું કે મેં મારૂ હદય કોને અર્પણ કર્યું છે.” ચંપાદેવીએ એમ કહીને તેને નેત્રસંકેતથી પિતાની સાથે આવવાની સૂચના કરી.
. ચંપાદેવી આગળ અને પૃથિવીરાજ પાછળ, એ પ્રમાણે બન્ને એ ઓરડામાંથી નીકળીને બીજા ઓરડામાં આવી પહોંચ્યા આ એારડે ચંપાદેવીનો હતો. ઓરડામાં પ્રવેશ કરીને ચંપાદેવીએ દિવાલમાં ગોઠવેલા સુંદર નકશીદાર દ્વારવાળા કબાટને ઉઘાડયું અને તે પછી પૃથિવીરાજ સામે જોઈને કહ્યું. રાજાસાહેબ ! આ કબાટની અંદર આપ કઈ જઈ શકો છો?”
પૃથિવીરાજ કબાટથી જરા દૂર ઉભો હોવાથી તેણે બરોબર ધ્યાનપૂર્વક જોઈને કહ્યું. “હા, કબાટની મધ્યમાં ગોઠવેલા એક ચિત્રને-છબીને હું જોઈ શકું છું.”
પણ તે ચિત્ર કોનું છે, શું આપ તેને ઓળખી શક્તા નથી?” ચંપાદેવીએ પૂછયું.
ચંપાદેવીના એ પ્રશ્નથી તે તેની અત્યંત નજીક આવ્યું અને ત્યારબાદ કબાટની અંદર જોઈને આશ્ચર્ય દર્શાવતાં તેણે જવાબ આપ્યો. “ આ ચિત્ર તો મારું પિતાનું જ છે, પરંતુ તે તારી પાસે કયાંથી ?”
ચંપાદેવીએ કહ્યું “મારી બહેન લીલાદેવીએ મને આ ચિત્ર એક દિવસે આપ્યું હતું અને ત્યારથી તે મારી પાસે છે.”
પણ તેને બતાવીને તું મને શું કહેવા માગે છે ? ” પૃથિવીરાજે આતુરતાપૂર્વક પૂછ્યું.
“એજ કે એ ચિત્ર જે પુરૂષનું છે, તે પુરૂષને હું ચાહું છું અને તેને જ મેં મારું દિલ અર્પણ કર્યું છે. ” ચંપાદેવીએ એકદમ ઉત્તર આપ્યો.
* પૃથિવીરાજ તેને ઉત્તર સાંભળીને અજાયબ થઈ ગયો. તેણે ચંપાદેવીના મુખાવિંદ પ્રત્યે ધ્યાનપૂર્વક જોઈને શંકાશીળહદયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org