________________
ભાગ્યવિધાયક ભામાશાહ. - “પરંતુ એ પ્રયજન મને કહી શકાય તેમ નથી ?” ચંપાદેવીએ પૂછ્યું.
પ્રયજન તે એજ છે કે તું હવે ઉમ્મરલાયક થઈ છે અને તેથી કુમારી અવસ્થામાં તને મારા આવાસે રાખવી, એ ગ્યનથી. તું જેને ચાહતી હોય, તેની સાથે તારૂં લગ્ન કરી દેવાને મારે વિચાર હોવાથી મેં તને એ પ્રશ્ન પૂછ્યો છે.” પૃથિવીરાજે ખુલાસો .
“આપે વિચાર તો સારો કર્યો છે, પરંતુ એમાં મને પૂછવા જેવું શું છે ? આપને તથા મારા પિતાશ્રીને એગ્ય લાગે તેમ કરે.” ચંપાદેવીએ ઉદાસિન ભાવે કહ્યું. - એ ઠીક છે, પરંતુ લગ્ન જેવા ગંભીર વિષયમાં તારી સંમ તિની ખાસ અગત્ય છે અને તેથી જ મેં તને એ સ્વાલ કર્યો છે કે તું કોઈને ચાહે છે? તેં તારું હૃદય કોઈને અર્પણ કર્યું છે અને કર્યું હોય, તે મને કહે એટલે તારા પિતાશ્રીને કહીને તારું લગ્ન તેની સાથે કરાવી આપવાની ગોઠવણ કરૂં.” પૃથિવીરાજે, નિખાલસદિલથી કહ્યું.
રાજાસાહેબ ! તમારા પ્રશ્નનો ઉત્તર આપે એ મને જે કે ઉચિત નથી; તે પણ આપ મારી બહેનના પતિ હોઈને મારા નિ કટના સંબંધી છે, એમ ધારી આપના પ્રશ્નનો ઉત્તર આપવાને હું બહુ હરકત જેતી નથી અને તેથી કહું છું આજ કેટલે એ સમય થયા મેં મારું હૃદય એક પુરૂષને અર્પણ કર્યું છે.” ચંપાએ શરમને ત્યાગ કરીને સ્પષ્ટ ઉત્તર આપ્યો,
કેને અર્પણ કર્યું છે? ” પૃથિવીરાજે તુરતજ બીજે સ્વાલ કર્યો.
એ શું આપના જાણવામાં નથી ? ” ચંપાદેવીએ પૃથિવીરાજની સામે ધ્યાનપૂર્વક જોઈને તિક્ષણ કટાક્ષ સાથે પૂછ્યું.
નહિ, એ વાત મારા જાણવામાં નથી; કેમકે તારા હૃદયની ગુપ્ત વાતને હું શી રીતે જાણી શકું ? ” પૃથિવીરાજે અજાયબી, સાથે કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org