________________
ચંપાદેવી. કેમ, આપ મને ઓળખી શકતા નથી, એ કેવી વાત?'હું ચંપાદેવી જ છું. લીલાદેવી હવે આ સંસારમાં નથી, એ આપ કયાં જાણતા નથી ?” ચંપાદેવીએ એક નિ:શ્વાસ નાંખીને જવાબ આપે.
ઠીક, તું ચંપાદેવી છે તે ભલે; પરંતુ લીલાદેવી તને કદિ યાદ આવે છે ? તું તેને કદિ સંભારે છે?” પૃથિવીરાજે બીજે પ્રશ્ન કર્યો.
રાજા સાહેબ! એ પ્રશ્ન પૂછીને મને શા માટે દુઃખી કરો. છે! લીલાદેવી-મારી પવિત્ર અને સદ્ગણ હેનને હું દિનરાત સંભારું છું. પરંતુ સંભારવા માત્રથી તેને ચિરકાળને માટે થયેલો વિયોગ શું દૂર થાય તેમ છે ખરો ?” ચંપાદેવીએ પુન: નિ:શ્વાસ નાંખીને જવાબ આપતાં પૂછ્યું.
નહિ, તેને વિગ મટીને સંગ થાય તેમ નથી તે નથી. જ. ઠીક, જવાદે એ વાતને; પરંતુ ચંપાદેવી! હું તારી પાસેથી એક વાત જાણવા માગું છું.” પૃથિવીરાજે મૂળ વાત લાવીને મૂકી.
શી વાત જાણવા માગો છે, રાજા સાહેબ ?” ચંપાદેવીએ પૂછયું.
એજ કે તેં તારું દિલ કેઈને અર્પણ કર્યું છે? તું કેઈને ચાહે છે?” પૃથિવીરાજે પૂછયું અને હવે તે શે ઉત્તર આપે છે, એ જાણવાને તે આતુરષ્ટિએ તેની સામે જોઈ રહ્યો.
પૃથિવીરાજને નહીં ધારેલે પ્રશ્ન સાંભળીને તે વિચારમાં પડી ગઈ અને શરમથી નીચું પણ જોઈ ગઈ. તેણે તેના પ્રશ્નને કાંઈ પણ ઉત્તર આપે નહિ.
પૃથિવીરાજને જ્યારે કાંઈ પણ ઉત્તર મળે નહિ, ત્યારે તેણે પુન: એજ પ્રશ્ન કર્યો. “ચંપાદેવી! કેમ ઉત્તર આપતી નથી? તું કોઈને ચાહે છે?”
ચંપાદેવીએ પૃથિવીરાજની સામે અર્થસૂચક દષ્ટિથી જોઈને કહ્યું. એ પ્રશ્ન પૂછવાનું આપને શું પ્રયોજન છે?”
“પ્રજન છે અને તેથી જ તેને પૂછું છું.” પૃથિવીરાજે કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org