________________
ચંપાદેવી.
૧૬૩. પથિવીરાજને નિરૂત્તર રહેલ જોઈને કરમચ દે કહ્યું. “કેમ ઉત્તર આપતા નથી રાજા સાહેબ ?”
કરમચંદ ! હું તમારા પ્ર”નને વિચાર કરીને જવાબ આપીશ. શહેનશાહ અકબરે પણ મને ગઈકાલે પુનઃ લગ્ન કરવાની મિત્રતાના દાવે સલાહ આપી છે અને તેનો જવાબ પણ મારે. વિચારીને આપવાનું છે.” પથિવીરાજે કહ્યું.
ત્યારે તે આપે શહેનશાહની સલાહને માન્ય રાખવી પડશે, કેમ ખરું ને?” કરમચંદે જરા હસીને પૂછયું.
ઉપરથી મિત્રતાને દાવ કરનારા અને અંદરથી શત્રુતા ધરાવતા શહેનશાહની સલાહને માન્ય રાખવાને હું કોઈ પણ રીતે તૈયાર નથી; પરંતુ આ વિષયમાં તમારો જ્યારે બહુ આગ્રહ છે, ત્યારે મારે અવશ્ય વિચાર કરવો પડશે. હાલ તે તમે તમને પેલા, કામ ઉપર જાઓ. દરમ્યાન હું વિચાર કરીને તમને નિરાંતે ગ્ય જવાબ આપીશ.” - “બહુ સારૂ આપને ગ્ય લાગે ત્યારે જવાબ આપજે પરંતુ મારી વિનંતિને અસ્વીકાર કરવાનું સાહસ એકદમ કરી નાંખતા નહિ, એ મારે ખાસ કરીને આગ્રહ છે. હું હવે રજા લઉં છું અને સાંજે અગર કાલે સવારે આપને મળીશ.” એમ કહી કરમચંદ ચાલ્યો ગયે અને પથિવીરાજ કરમચંદે કરેલા આગ્રહ વિષે વિચાર કરવા લાગ્યા.
તેણે ઘણે સમય સુધી એ વિષય ઉપર વિચાર કર્યો, પરંતુ તે કઈ પણ નિશ્ચય ઉપર આવી શક્યો નહિ; કારણ કે લીલાદેવીને અખ્ખલિત પ્રેમ અને અંતે થયેલે તેને વિગ તેને એટલે બધે સાલતું હતું અને તેના હૃદયમાં એથી એટલી બધી ગંભીર અસર થયેલી હતી કે તેનું જીવન તેને હવે અપ્રિય થઈ પડ્યું હતું અને તેથી પોતાની એવી દુ:ખી સ્થિતિમાં તે અન્ય સ્ત્રી સાથે લગ્ન કરવાને ખુશી નહોતે. ચંપાદેવી પિતાને ચાહતી હશે, એ ખ્યાલ તેને આજ સુધી આવ્યા નડે; પરંતુ કરમચંદે જ્યારે એ વાત ભાર દઈને કહી છે, ત્યારે તે સત્ય હોવી જે એ અને તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org