________________
૧૬૨
ભાગ્યવિધાયક ભામાશાહ. જેમ એ સહજ વાત નથી, તેમ એ અસંભવિત પણ નથી, પરંતુ એથી લીલાદેવી શું આપને પુન: મળશે ખરા?” કરમચ દે પથિવીરાજના પ્રશ્નનો ઉત્તર આપતાં સ્વાલ કર્યો.
“નહિ; એક વખત મૃત્યુ પામેલું માણસ પુનઃ મળતુ નથી. એ તો હું સારી રીતે જાણું છું.” પૃથિવીરાજે જવાબ આપે.
તે પછી એ માટે શેક કરવાથી શું ફળ મળવાનું છે ? કાંઈ જ નહિ અને તેથી મારી વિનંતિનો સ્વીકાર કરી આપ પુનઃ લગ્ન કરીને સુખી થાઓ, એવી મારી ઈચ્છા છે.” કરમચંદે મૂળ વાત લાવીને મૂકી.
ઘડીભર માને કે હું તમારી વિનંતિ સ્વીકાર કરીને લગ્ન કરવાને તૈયાર થાઉં; પરંતુ મારે કેની સાથે લગ્ન કરવું ?” પથિવીરાજે પ્રશ્ન ક્યો.
એ વિષે મેં મારાથી બનતી સઘળી ગોઠવણ કરી રાખી છે. લીલાદેવીના બહેન ચંપાદેવી આપના રાણી થવાને સવોશે લાયક છે. અને વળી તેની સાથે લગ્ન કરવાથી સ્વર્ગસ્થ રાણીજીના પ્રેમને પણ આપ સ્મૃતિમાં રાખી શકશે. માટે આપે ચંપાદેવી સાથે લગ્ન કરવું, એ ઉત્તમ છે.” કરમચંદે કરેલી સઘળી ગોઠવણ કહી બતાવી.
એ વાત પણ ઘડીભરને માટે હું સ્વીકારી લઉં, પરંતુ શું ચંપા મને ચાહે છે? અને જે તે મને ન ચાહતી હોય, તો તેની સાથે બલાકારે મારે લગ્ન કરવું, એ શું ઉચિત છે?” પૃથિવીરાજે પુનઃ પ્રર્થન કર્યો.
કોઈની સાથે બળાત્કારે લગ્ન કરવાને માટે હું આપને આગ્રહ કરતું નથી, પરંતુ જે ચંપાદેવી આપને ચાહતા હેય, તે પછી આપ તેની સાથે લગ્ન કરવાને તૈયાર છેને?” કરમચંદે એમ કહીને પથિવીરાજની સામે જોયું.
પૃથિવીરાજ હવે વિચારમાં પડી ગયો. તેણે કરમચંદના પ્રમને કાંઈ પણ ઉત્તર આપે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org