SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ચંપાદેવી. ૧૫૯ વીરાજ પાસે આવીને તેને એ કાગળ વાંચવાને આપે. પૃથિવીરાજે સદરહુ કાગળને વાંચી લીધા અને પિતાને સંતોષ જાહેર કરતાં કહ્યું. “કરમચંદ! કાગળ બહુજ સારી રીતે લખેલે છે અને તેથી તેમાં કાંઈ સુધારે વધારો કરવા જેવું નથી, માટે તેને પરબીડિયામાં બરોબર બંધ કરીને તમે જાતે જ મહારાણુના ભીલને હાથોહાથ આપજે. ” બહુ સારુ, આપની આજ્ઞા મુજબ અમલ કરીને આપને ખબર આપીશ.” એમ કહી કરમચંદ પૃથિવીરાજ પાસેથી કાગલ લઈને પોતાના આવાસે આવવાને ઓરડાની બહાર નીકળે અને જરા આગળ ચાલ્યા. પરંતુ મસ્તકમાં કાંઈક વિચાર ઉદ્દભવતાં તે પાછા વળીને પુન: એારડામાં આવ્યું. પ્રકરણ ૨૦ મું. ચંપાદેવી. ન થા માલુમ કે ઉફતમેં ગમ ખાનાં ભી હોતા હે, જીગરકી બેકલી ઓર જીકા ગભરાનાં ભી દેતા હે. અગર દાની સીમી રેઝન, અજલ દાગે જુદાઇરા, નમીકરદ– બદીલ રેશન, ચીરાગે આશનાઈરો.” કરમચંદ પુન: ઓરડામાં આવ્યું, ત્યારે પૃથિવીરાજ વિચાર સાગરમાં ગોથાં ખાતો હતું અને તેથી તેને કરમચંદના આગમન ની ખબર પડી નહિ. કરમચંદે તેને બેધ્યાન જોઈને તેનું ધ્યાન પોતાની તરફ ખેં. ચવા માટે કહ્યું. “રાજાસાહેબ !” પથિવીરાજે ઝટ લઈને તેની સામે જોયું અને આતુરતાથી પૂછયું. “કેમ કરમચંદ !” “મારી એક વિનંતિ સાંભળશે ?” કરમચંદે આસન ઉપર બેસતાં કહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy