________________
૧૫૮
ભાગ્યવિધાયક ભામાશાહ. સલાહકાર અને મિત્ર હોઈને મને બહુજ આનંદ થાય છે, પરંતુ આનંદની સાથે એટલી દીલગીરી પણ થાય છે કે તમારા જેવા મુસદી મારી પાસે હોવા છતાં હું મારી માતૃભૂમિના કલ્યાણને માટે હાલની મારી નજરકેદીની સ્થિતિના અંગે કાંઈ પણ કરી શકું તેમ નથી અને તેથી મને થતે આનંદ એ માત્ર મનનું સમાધાન કરવા પુરતે છે.”
“રાજાસાહેબ!” કરમચંદે કહ્યું. “જેવી આપને દીલગીરી થાય છે, તેવી મને પણ થાય છે, પરંતુ હાલ તે મનનું સમાધાન ગમે તે પ્રકારે કર્યા સિવાય અન્ય એક પણ ઉપાય આપણુ પાસે રહેલો નથી. આપણુથી જે હાલના સંગમાં કાંઈ પણ થઈ શકે તેમ હોય, તે તે એટલું જ છે કે મહારાણા પ્રતાપસિંહને પત્ર દ્વારા આપણે આશ્વાસન આપવું અને તેમને ગમે તે ભેગે પોતાની દઢતા ટકાવી રાખવાને આગ્રહ કરો.”
“બરોબર છે; હાલની સ્થિતિમાં આપણે તેથી કાંઈ વિશેષ કરી શકીએ તેમ નથી અને તેથી મનનું સમાધાનઃનિરૂપાયે પણ કરવું પડે છે, પરંતુ મહારાણુના પત્રને ઉત્તર કયારે લખવાને છે?” પૃથિવીરાજે કરમચંદના અભિપ્રાયને સ્વીકારીને પૂછયું.
આપ કહે ત્યારે હું લખવાને તઈયાર જ છું.” કરમચંદે જવાબ આપે.
તે પછી આજેજ ઉત્તર લખી નાંખીને આવેલ ભીલને પાછો ગુપ્ત રીતે રવાના કરી દે, એજ ઠીક છે, કેમ ખરું ને?” પૃથિવીરાજે કહ્યું.
હા, એ જ ઠીક છે અને તેથી હું હમણાં જ ઉત્તર લખીને આવું છું અને આપ તેને વાંચી લે કે તુરત જ આવેલ ભીલને એ ઉત્તરરૂપી કાગળને આપી રવાના કરી દેશું.” કરમચંદે આસન ઉપરથી ઉભા થતાં કહ્યું,
કરમચંદ પાસેના બીજા ઓરડામાં ગયો અને ત્યાં બેસીને સલુંબરરાજ ગોવિંદસિંહે લખેલા પત્રના ઉત્તરરૂપે સરસ શબ્દોમાં એક કાગળ ડીવારમાં લખી નાંખ્યો અને ત્યારબાદ પુનઃ પૃથિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org