________________
વિજય શાથી મળે છે ?
૧પ૭ મુત્સદીપણાનો સંગ થાય છે, ત્યારે સફલતા પ્રાપ્ત થાય છે. એ કલા બાહુબળને મેળવવાથી અથવા તો તેને એક પક્ષીય ઉપગ કરવાથી અર્થ સરતો નથી. જેટલે અંશે મુત્સદીપણાની અગત્ય છે, તેટલે જ અંશે બાહુબળની પણ અગત્ય છે અને જ્યાં એ ઉભય બળોને સંયોગ થાય છે, ત્યાં અવશ્ય વિજય પ્રાપ્ત થાય છે. આપ જાણે છે કે મહારાણા પ્રતાપસિંહ બાહુબળની, દઢ નિશ્ચયની, વીરચિત સ્વભાવની અને લડાયક જુસ્સાની સાક્ષાત્ મૂર્તિ છે અને મંત્રીશ્વર ભામાશાહ મુત્સદીપણાની, બુદ્ધિચાતુર્યની, સહનશીળતાની અને યુદ્ધકાર્યકુશળતાની સાક્ષાત્ મૂર્તિ છે અને જ્યાં આવી બે વ્યકિત એનું અસ્તિત્વ છે, ત્યાં સફળતા સ્વયં આવીને ભેટે છે. હાલમાં જેકે તેઓ સંપૂર્ણ સંકષ્ટમાં છે, તે પણ છેવટે મહારાણાને કહે કે મેવાડને વિજય થશે, એવી મારી માન્યતા છે.”
જેવી તમારી માન્યતા છે, તેવી જ મારી માન્યતા પણ છે; પરંતુ તેમની હાલની સ્થિતિ તરફ ધ્યાન આપતાં તેમને વિજ્ય થશે કે નહિ એ શંકાયુકત વાત છે. તમે જાણે છે કે મહાન ઐશ્વર્યશાળી અને પ્રબળ પ્રતાપી શહેનશાહ અકબરની સામે કઈ પણ પ્રકારના સાધન વિના યુદ્ધ ચાલુ રાખવું, એ મોટામાં મોટી મુશ્કેલીનું કાર્ય છે અને તેથી તેમને વિજ્ય થશે કે નહિ, એ શું શંકાયુક્ત વાત નથી ?” પૃથિવીરાજે પોતાની માન્યતાને કહી બતાવતાં પ્રશ્ન કર્યો.
“આપની માન્યતા સાચી હેવાનું હું સ્વીકારું છું અને એ પણ જાણું છું કે ભારતસમ્રાટ અકબરશાહની સામે બાથ ભીડવી, એ સાધારણ વાત નથી, પરંતુ દઢનિશ્ચય અને શ્રદ્ધાને સેવનારાં કલાવિન્દ મનુષ્ય વિજયને કિંવા સફલતાને ગમે તે ભેગે પ્રામ કરે છે, એ વિશ્વને એક અટલ સિદ્ધાંત છે અને તેથી મહારાણા પ્રતાપસિંહના વિજયને માટે શંકા ધરવાનું મને કશું પણ પ્રયાજન જણાતું નથી.” કરમચંદે વિશ્વના સિદ્ધાંતને દર્શાવતાં ઉત્તર આવે.
કરમચંદ!” પૃથિવીરાજે કહ્યું. “તમારા આવા ઉત્તમ વિચાર જાણીને તથા તમારા જેવા સમર્થ કલાવિન્દ પુરૂષ મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org