________________
પ૬
ભાગ્યવિધાયક ભામાશાહ. નિરાશ થવાનું પ્રયોજન ન હોય, તો પછી શા માટે તમે કાંઈ ઉપાય શોધતા નથી ?” પૃથિવીરાજે આતુરતા દર્શાવી.
“ઉપાય શોધી કહાડો, એ બહુ મુશ્કેલ કાર્ય નથી, પરંતુ રોગ્ય તક મળ્યા પહેલાં ઉપાય શોધી કહાડવા માત્રથી જ અર્થ સરે તેમ નથી અને તેથી હું ચગ્ય તકની જ રાહ જોયા કરું છું.” કર્મસિંહે કહ્યું.
મને લાગે છે કે તકની રાહ જોવામાં આપણે અર્થ સરે તેમ નથી; તકની રાહ જોવી એ શું નિર્માલ્યતા નથી ?” પૃથિવીરાજે કહ્યું.
“ક્ષત્રિયો એને નિર્માલ્યતા કહે છે, જ્યારે મુત્સદી–વણિક એને કાર્ય કુશળતા કહે છે રાજાસાહેબ! કેવળ બાહુબળથી જ કે કાર્ય સફળ થતું નથી પરંતુ બાહુબળ સાથે જ્યારે મનોબળને સંગ થાય છે, ત્યારે જ સફળતા પ્રાપ્ત થાય છે અને તેથી તકની રાહ જોયા વિના યાહોમ કરીને કોઈ કાર્યમાં પડતું મૂકવું, એ શરીરબળને વિના કારણે ક્ષય કરવા બરાબર છે.” કરમચંદે મુત્સદીગીરીની વ્યાખ્યા કરતાં કહ્યું.
પૃથિવીરાજે સહેજ હસીને કહ્યું. “કરમચંદ ! તમારું કથન સત્ય છે અને શરીરબળ કરતાં મને બળ વિશેષ બળવાન છે, એ હું સ્વીકારું છું, પરંતુ તમને મેં જે પ્રશ્ન પૂછયે હતું, તે માત્ર તમારૂં બુદ્ધિચાતુર્ય જોવાને માટે જ પુછયે હતું અને તમે તેને આ બાદ ઉત્તર આપીને મારા મનનું સમાધાન કર્યું છે. અમારી રાજપૂત જાતિમાં બાહુબળ ઘણું છે; પરંતુ મને બળની અગર તે મુત્સદીપણુની ખામીને લઈ તેને અત્યારે પરતંત્રતાની સ્થિતિમાં મૂકાવું પડયું છે. મને અનુભવ છે કે કઈ પણ કાર્યમાં શરીરબળ અને મુત્સદીપણાને સંગ થાય છે, ત્યારે જ વિજય મળે છે અને મારે આ અનુભવ જો કે સત્ય છે, તે પણ તેથી શરીરબળને ઉતારી નાંખવામાં અને તેના પ્રતિ ઉપેક્ષા કરવામાં ડહાપણ નથી, એ પણ શું સત્ય નથી?”
“એ પણ કેવળ સત્ય છે.” કરમચંદે તુરતજ ઉત્તર આપે. “હું પ્રથમ જ કહી ગયો છું કે બાહુબળ સાથે જ્યારે મને બળને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org