SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ ભાગ્યવિધાયક ભામાશાહ. નિરાશ થવાનું પ્રયોજન ન હોય, તો પછી શા માટે તમે કાંઈ ઉપાય શોધતા નથી ?” પૃથિવીરાજે આતુરતા દર્શાવી. “ઉપાય શોધી કહાડો, એ બહુ મુશ્કેલ કાર્ય નથી, પરંતુ રોગ્ય તક મળ્યા પહેલાં ઉપાય શોધી કહાડવા માત્રથી જ અર્થ સરે તેમ નથી અને તેથી હું ચગ્ય તકની જ રાહ જોયા કરું છું.” કર્મસિંહે કહ્યું. મને લાગે છે કે તકની રાહ જોવામાં આપણે અર્થ સરે તેમ નથી; તકની રાહ જોવી એ શું નિર્માલ્યતા નથી ?” પૃથિવીરાજે કહ્યું. “ક્ષત્રિયો એને નિર્માલ્યતા કહે છે, જ્યારે મુત્સદી–વણિક એને કાર્ય કુશળતા કહે છે રાજાસાહેબ! કેવળ બાહુબળથી જ કે કાર્ય સફળ થતું નથી પરંતુ બાહુબળ સાથે જ્યારે મનોબળને સંગ થાય છે, ત્યારે જ સફળતા પ્રાપ્ત થાય છે અને તેથી તકની રાહ જોયા વિના યાહોમ કરીને કોઈ કાર્યમાં પડતું મૂકવું, એ શરીરબળને વિના કારણે ક્ષય કરવા બરાબર છે.” કરમચંદે મુત્સદીગીરીની વ્યાખ્યા કરતાં કહ્યું. પૃથિવીરાજે સહેજ હસીને કહ્યું. “કરમચંદ ! તમારું કથન સત્ય છે અને શરીરબળ કરતાં મને બળ વિશેષ બળવાન છે, એ હું સ્વીકારું છું, પરંતુ તમને મેં જે પ્રશ્ન પૂછયે હતું, તે માત્ર તમારૂં બુદ્ધિચાતુર્ય જોવાને માટે જ પુછયે હતું અને તમે તેને આ બાદ ઉત્તર આપીને મારા મનનું સમાધાન કર્યું છે. અમારી રાજપૂત જાતિમાં બાહુબળ ઘણું છે; પરંતુ મને બળની અગર તે મુત્સદીપણુની ખામીને લઈ તેને અત્યારે પરતંત્રતાની સ્થિતિમાં મૂકાવું પડયું છે. મને અનુભવ છે કે કઈ પણ કાર્યમાં શરીરબળ અને મુત્સદીપણાને સંગ થાય છે, ત્યારે જ વિજય મળે છે અને મારે આ અનુભવ જો કે સત્ય છે, તે પણ તેથી શરીરબળને ઉતારી નાંખવામાં અને તેના પ્રતિ ઉપેક્ષા કરવામાં ડહાપણ નથી, એ પણ શું સત્ય નથી?” “એ પણ કેવળ સત્ય છે.” કરમચંદે તુરતજ ઉત્તર આપે. “હું પ્રથમ જ કહી ગયો છું કે બાહુબળ સાથે જ્યારે મને બળને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy